Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જે જન કોઈ માણસના મુડદાનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 “જે કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જે કોઈ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જે કોઈ મનુષ્યના મૃતદેહને સ્પર્શ કરે તેને સાત દિવસ સૂતક પાળવું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:11
22 Iomraidhean Croise  

જાઓ, જાઓ, ત્યાંથી નીકળો, કંઈ અશુદ્ધ વસ્તુઓને અડકશો નહિ; તેની વચમાંથી નીકળો; યહોવાનાં પાત્રો ઊંચકનારા, તમે શુદ્ધ થાઓ;


તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્‍લે ભમતા ફરે છે, તેઓ રક્તથી ખરડાયા છે, તેથી તેઓનાં વસ્‍ત્રને કોઈ અડકી શકતું નથી.


તેમને દાટી દઈને ભૂંમિને સ્વચ્છ કરતાં ઇઝરાયલ લોકોને સાત માસ લાગશે.


શુદ્ધ થયા પછી, તે સાત દિવસ અલગ રહે.


સર્વ સર્પટિયાંમાંથી એ તમને અશુદ્ધ છે; તેઓના મર્યા પછી જે કોઈ તેમનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને યહોવાએ મૂસાને કહ્યું, “યાજકોને એટલે હારુનના પુત્રોને એમ કહે કે, પોતાના લોકોમાંથી કોઈપણ મરી જાય, તો તેને લીધે કોઈ અભડાય નહિ;


તેમ જ કોઈ મુડદા પાસે જાય નહિ, ને પોતાના પિતાને લીધે કે પોતાની માને લીધે તે અભડાય નહિ.


હારુનના સંતાનમાં જે પુરુષ કોઢી કે સ્‍ત્રાવી હોય, તે પાછો શુદ્ધ થતાં લગી પવિત્ર વસ્તુઓમાંથી ખાય નહિ, અને જે કોઈ મુડદાથી અભડાયેલી કોઈ વસ્તુને, કે જે પુરુષને ઘાત જતી હોય તેને અડકે;


અથવા જો કોઈ માણસ કોઈ અશુદ્ધ વસ્તુનો, એટલે અશુદ્ધ પશુના મુડદાનો કે અશુદ્ધ ઢોરના મુડદાનો કે અશુદ્ધ સર્પટિયાના મુડદાનો સ્પર્શ કરે, ને તે તેના જાણવામાં ન આવતાં તે અશુદ્ધ થયો હોય તો તે દોષિત ગણાય;


ત્યારે હાગ્ગાયે પૂછયું, “ જો મુડદાથી આભડાયેલું માણસ એમાંના કશાને અડકે, તો શું તે આભડાય [કે નહિ] ?” યાજકોએ ઉત્તર આપ્યો, “હા, તે અભડાય.”


અને ખુલ્લા મેદાનમાં જે કોઈ તરવારે મારી નંખાયેલાનો, કે મુડદાનો, કે માણસના હાડકાનો, કે કબરનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


અને તમે સાત દિવસ સુધી છાવણી બહાર રહો; તમારામાંના જે કોઈએ કોઈ માણસને મારી નાંખ્યું હોય, ને જે કોઈએ મારી નંખાયેલાનો સ્પર્શ કર્યો હોય, તે ત્રીજે દિવસે તથા સાતમે દિવસે પોતાને તથા પોતાના બંદીવાનોને શુદ્ધ કરે.


“ઇઝરાયલી લોકોને આજ્ઞા કર કે, તેઓ પ્રત્યેક કોઢીને તથા પ્રત્યેક સ્‍ત્રાવના મરજવાળાને તથા કોઈપણ મુડદાથી અભડાયેલાને છાવણીની બહાર કાઢે.


યહોવાની સેવામાં તે વૈરાગી થાય તે બધા દિવસો સુધી મરેલા પ્રાણીની પાસે તે ન જાય.


“ઇઝરાયલી પ્રજાને એમ કહે, જો તમારામાં કે તમારાં સંતાનમાંનો કોઈ માણસ કોઈ મુડદાના કારણથી અભડાય, કે દૂર દેશમાં મુસાફરી કરતો હોય, તોપણ તે યહોવાનું પાસ્ખાપર્વ પાળે.


અને કેટલાક માણસો માણસના મુડદાથી અભડાયેલા હતા, તેથી તેઓ તે દિવસે પાસ્ખાપર્વ પાળી ન શક્યા. અને તેઓ તે દિવસે મૂસાની તથા હારુનની રૂબરૂ આવ્યા.


ત્યારે પાઉલ તે માણસોને સાથે લઈને બીજે દિવસે શુદ્ધ થઈને મંદિરમાં ગયો, અને તેઓમાંના દરેકને માટે અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે શુદ્ધીકરણના દિવસો પૂરા થશે એવું તેણે જાહેર કર્યું.


તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને મંદિરમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને પકડી લીધો.


તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ! અને બધાંએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો.


માટે “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ.” એમ પ્રભુ કહે છે, “મલિન વસ્તુને અડકો નહિ; એટલે હું તમારો અંગીકાર કરીશ,


વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતાં, ત્યારે [તેમણે તમને સજીવન કર્યાં] ;


તો ખ્રિસ્ત, જેમણે સનાતન આત્માથી પોતાની જાતનું દોષ વગરનું બલિદાન ઈશ્વરને આપ્યું, તેમનું રક્ત તમારા હ્રદયને જીવતા ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?


Lean sinn:

Sanasan


Sanasan