Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને તમે તેમાંથી તેના ઉત્તમ ભાગનું ઉચ્છાલીયાર્પણ કરો, ત્યાર પછી તેના કારણથી તમને દોષ નહિ લાગે. અને તમે ઇઝરાયલી લોકોની પવિત્ર વસ્તુઓને ન વટાળો, રખેને તમે માર્યા જાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 દશાંશમાંથી પ્રભુને ઉત્તમોત્તમ ભાગ અર્પવામાં આવે તે પછી બાકીનો ભાગ ખાવાથી તમે દોષિત ઠરશો નહિ. પ્રભુને ઉત્તમ ભાગ આપ્યા પહેલાં તેમાંથી ખાઈને ઇઝરાયલીઓના પવિત્ર અર્પણને અશુધ ન કરો; નહિ તો, તમે માર્યા જશો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 જે ઉત્તમ ભાગ તમે પ્રાપ્ત કર્યો તે તમે યહોવાહને ઉચ્છાલીયાર્પણ તરીકે ચઢાવો, તે ખાવાથી તથા પીવાથી તેનો દોષ તમને નહિ લાગે. પણ તમારે ઇઝરાયલ લોકોનાં પવિત્ર અર્પણોને અશુદ્ધ કરવાં નહિ, રખેને તમે માર્યા જાઓ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 તમે એ પ્રમાંણે યાજકોને તમાંરો દશાંશ શ્રેષ્ઠ ભાગ આપશો, તો પછી ઇસ્રાએલીઓએ ધરાવેલી પવિત્ર ભેટો ભ્રષ્ટ કરવાનો દોષ તમાંરે માંથે આવશે નહિ, અને તમાંરે મૃત્યુ પામવું પડશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:32
10 Iomraidhean Croise  

અને હારુન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાતમંડપમાં જાય, અથવા પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય; રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય. તે તેને માટે તથા તેના પછીના તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.


પણ જે કોઈ તેને ખાય, તેનો અન્યાય તેને માથે રહે, કેમ કે તેણે યહોવાની પવિત્ર વસ્‍તુ વટાળી છે; અને તે જન પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.


“હારુનને તથા તેના પુત્રોને કહે કે, ઇઝરાયલી લોકોની જે પવિત્ર વસ્તુઓને તેઓ મારે માટે અલગ કરે છે તેઓથી તેઓ દૂર રહે, ને મારા પવિત્ર વસ્તુઓને તેઓ મારે માટે અલગ કરે છે તેઓથી તેઓ દૂર રહે, ને મારા પવિત્ર નામને વટાળે નહિ; હું યહોવા છું.


તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચઢાવો છો. તેમ છતાં તમે પૂછો છો, ‘અમે કેવી રીતે તમારા નામનું અપમાન કર્યું છે?’ યહોવાની મેજ તિરસ્કારપાત્ર છે, એવું કહીને તમે [અપમાન કર્યું છે].


અને હવેથી ઇઝરાયલી લોકો મુલાકાતમંડપની પાસે ન આવે, રખેને તેમને માથે દોષ બેસે, ને તેઓ માર્યા જાય.


અને તમે તથા તમારાં કુટુંબો કોઈ પણ જગામાં તે ખાઓ; કેમ કે મુલાકાતમંડપમાં કરેલી તમારી જે સેવા તેનો બદલો તે છે.


અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,


એ માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાશે કે, તેમનો પ્યાલો પીશે, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે.


કેમ કે [પ્રભુના] શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તથા પીએ છે તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan