Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 એટલે જે માણસો દેશ વિષે માઢો સંદેશો લાવ્યા, તેઓ યહોવાની આગળ મરકીથી માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 જે લોકો દેશ વિષે ખરાબ સંદેશો લાવ્યા તેઓ યહોવાહની આગળ મરકીથી માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 તેઓ બધા યહોવા સમક્ષ રોગનો ભોગ બન્યા અને મરી ગયા, કારણ, તેમણે એ દેશને વખોડી કાઢયો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:37
17 Iomraidhean Croise  

તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશહજાર [માણસો] પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.


તેથી યહોવા કહે છે, જુઓ, હું શમાયા નેહેલામીને તથા તેના સંતાનને જોઈ લઈશ; તેના વંશમાંનો કોઈ પુરુષ આ પ્રજામાં વસવા પામશે નહિ, ને મારા લોકોનું હું જે હિત કરીશ તે તે જોવા પામશે નહિ. કેમ કે તે યહોવાની વિરુદ્ધ બંડ [નાં વચન] બોલ્યો છે, ” એવું યહોવા કહે છે.


અને યહોવાની સંમુખથી અગ્નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા, ને તેઓ યહોવાની સમક્ષ માર્યા ગયા.


અને જે દેશની જાસૂસી તેઓએ કરી હતી, તે વિષે ઇઝરાયલી પ્રજા પાસે તેઓ માઠો સંદેશો લાવ્યા, ને એમ કહ્યું, “જે દેશમાં તેની જાસૂસી કરવા માટે અમે ફરી આવ્યા છીએ તે પોતાની વસતીને ખાઈ જનાર દેશ છે. અને જે સર્વ લોકોને અમે તેમાં જોયા, તેઓ કદાવર માણસો છે.


હું તેઓને મરકીથી મારીશ, ને તેઓને બિનવતન કરી નાખીશ, ને તેઓના કરતાં મોટી તથા બળવાન દેશજાતિ તારાથી ઉત્પન્‍ન કરીશ.”


પણ જેઓ દેશની જાસૂસી કરવાને માટે ગયા હતા તેઓમાંથી નૂનનો દિકરો યહોશુઆ તથા યફૂનેનો દિકરો કાલેબ જીવતા રહ્યા.


અને યહોવાની પાસેથી અગ્નિ ધસી આવ્યો, ને જે અઢીસો માણસો ધૂપ ચઢાવતા હતા તેઓને ભસ્મ કર્યા.


અને કોરાનિ બાબતમાં જેઓ મરી ગયા હતા તેઓ ઉપરાંત મરકીથી ચૌદ હજાર ને સાતસો માણસો મરણ પામ્યા.


અને ત્યાં લોકોએ મુસાની સાથે તકરાર કરીને એમ કહ્યું કે, જ્યારે અમારા ભાઈઓ યહોવાની આગળ મરી ગયા, ત્યારે જો અમે મરી ગયા હોત તો કેવું સારું!


અને ગધેડીએ મને જોયો ને આ ત્રણ વખત મારી સામેથી તે મરડાઈ ગઈ. જો તે મારી સામેથી મરડાઈ ગઈ ન હોત, તો અત્યાર પહેલાં મેં તને મારી નાખ્યો હોત, ને તેને બચાવી હોત.”


અને જેઓ મરકીથી મરી ગયા તેઓ ચોવીસ હજાર હતા.


વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકથી નાશ પામ્યા, તેમ તમે કચકચ ન કરો.


પણ તેઓમાંના ઘણાખરા પર ઈશ્વર પ્રસન્‍ન ન હતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.


વળી ચાળીસ વરસ સુધી તે કોના ઉપર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યા, જેઓનાં શબ અરણ્યમાં પડયાં, તેઓના પર નહિ?


અને જેઓએ માન્યું નહિ તેઓ વગર બીજા કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું, “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ?”


હવે તમે બધું જાણી ચૂકયા છો ખરા, તોપણ હું તમને યાદ દેવડાવવા ચાહું છું કે પ્રભુએ લોકોનો મિસર દેશમાંથી બચાવ કર્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan