Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેઓ જે દેશ આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે તે નહિ જ જોશે, તેમ જ જેઓએ મને તુચ્છ કર્યો તેઓમાંનો કોઈ તે જોશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 મેં તેઓના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે તેઓ નહિ જ જોશે. તેમ જ મને તુચ્છકારનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 મેં એમના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તેઓમાંનો એક પણ દાખલ થવા પામશો નહિ, માંરી વિરુદ્ધ ફરી જનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:23
12 Iomraidhean Croise  

વળી તમે તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃધ્ધી કરી, અને જે દેશ વિષે તમે તેઓના પૂર્વજોને કહ્યું હતું, ‘તેઓ તેમાં પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરશે, ’ તેમાં તમે તેઓને લાવ્યા.


માટે અરણ્યમાં તેઓનો નાશ કરવાને, તથા વિદેશીઓમાં તેઓનાં સંતાનને વેરણ-ખેરણ કરવાને,


માટે મેં મારા કોપમાં સમ ખાધા, “તેઓ મારા વિશ્રામમાં પેસશે નહિ.”


ત્યારે જો તે મારું કહ્યું ન માનીને મારી દષ્ટિમાં જે ભૂંડું છે તે કરે, તો જે પ્રકારના કલ્યાણથી મેં તેનું હિત કરવાનું કહ્યું હતું તે વિષે હું પસ્તાઈશ.


વળી દૂધમધની રેલછેલવાળો દેશ જે મેં તેઓને આપ્યો હતો, ને જે સર્વ દેશોની શોભા છે તેમાં તેઓને ન લઈ જવાને મેં અરણ્યમાં તેઓની આગળ સમ ખાધા.


પણ મૂસાએ તથા હારુન યાજકે જ્યારે સિનાઈના અરણ્યમાં ઇઝરાયલી લોકોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ તેઓમાંનું એકે માણસ તેઓમાં રહ્યું નહોતું;


કેમ કે યહોવાએ તેઓના વિષે કહ્યું હતું કે તેઓ અરણ્યમાં નક્કી મરશે. અને યફૂનેહના દિકરા કાલેબ તથા નૂનના દિકરા યહોશુઆ વિના તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહોતો.


“વીસ વર્ષના ને તે કરતાં વધારે ઉમરના જે માણસો મિસર દેશમાંથી નીકળી આવ્યા તેઓમાંનો કોઈ પણ જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક ને યાકૂબની આગળ સમ ખાધા તેને જોવા પામશે નહિ; કેમ કે તેઓ મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી.


જુઓ, તમારી આગળ મેં દેશ મૂક્યો છે. તો તેમાં પ્રવેશ કરો, ને જે વિષે યહોવાએ તમારા પિતૃઓની આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી કે હું તે તમને તથા તમારી પાછળ તમારાં વંશજોને તે આપીશ, તેનું વતન સંપાદન કરો.


આપણે વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશ કરીએ છીએ. જેમ તેમણે કહ્યું છે, “મેં મારા ક્રોધમાં સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.” જોકે જગતના આરંભથી કામો પૂરાં થયેલાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan