Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 12:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને યહોવાએ મૂસાને કહ્યું, “જો તને પિતા તેના મુખ પર ફક્ત થૂંક્યો હોત, તો શું સાત દિવસ સુધી તે ન લાજત? સાત દિવસ તે છાવણીની બહાર રખાય, ને પછી તે પાછી આવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પ્રભુએ જવાબ આપ્યો, “જો તેનો પિતા તેના મુખ પર થૂંક્યો હોત તો તેણે સાત દિવસ સુધી શરમ વેઠવી પડત. તેથી સાત દિવસ સુધી તેને પડાવની બહાર રાખો અને ત્યાર પછી તેને પાછી લાવવામાં આવે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યહોવાહે મૂસાને કહ્યું કે, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લાજત. તેથી સાત દિવસ તે છાવણીની બહાર રખાય. અને પછી તે પાછી આવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યહોવાએ મૂસાને કહ્યું, “જો તેનો પિતા તેના મુખ પર થૂંકયો હોત, તો સાત દિવસ તે લજજીત ગણાત. તેથી તેને સાત દિવસ છાવણી બહાર એકાંતમાં મોકલો, ત્યારબાદ તેને પાછી છાવણીમાં લઈ આવજો.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 12:14
13 Iomraidhean Croise  

યહોવા રાજા પર આફત લાવ્યા, તેથી તે તેના મરણના દિવસ સુધી કોઢિયો રહ્યો, ને અલાહિદા ઘરમાં રહ્યો. અને તેને તેની બધી ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યો અને રાજાનો દીકરો યોથામ ઘરનો ઉપરી થઈને દેશના લોકોનો ન્યાય કરતો.


તેમણે મને લોકોની કહાણીરૂપ બનાવ્યો છે; હું તેઓના ખુલ્લા ધિક્કારને પાત્ર થયો છું.


તેઓ મારાથી કંટાળે છે, અને મારાથી આઘા ઊભા રહે છે, અને મારા મોં પર થૂંકતાં પણ તેઓ અચકાતા નથી.


મેં મારનારની આગળ મારી પીઠ, તથા વાળ ખેંચી કાઢનારાની આગળ મારા ગાલ ધર્યા; અપમાન તથા થૂ કરતા છતાં મેં મારું મુખ ઢાંકી દીધું નહિ.


જો તેના શરીરની ત્વચામાં ચળકતું ચિહ્ન ઘોળું હોય, ને તે ત્વચા કરતાં ઊંડું દેખાતું ન હોય, ને તેની ઉપરના વાળ ધોળા થઈ ગયા ન હોય, તો યાજક તેવા રોગીને સાત દિવસ પૂરી રાખે.


અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય, તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પોતાના સર્વ વાળ મૂંડાવે, ને પાણીમાં સ્‍નાન કરે, એટલે તે શુદ્ધ થશે, અને ત્યાર પછી તે છાવણીમાં આવે, પણ તે સાત દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે.


અને યહોવાએ મૂસાને કહ્યું,


ત્યારે તેઓએ તેમના મોં પર થૂંકીને તેમને મુક્કીઓ મારી; અને બીજાઓએ તેમને થબડાકો મારીને


તો તેના ભાઈની પત્ની વડીલોની હજૂરમાં તેની પાસે આવીને તેના પગમાંથી જોડો કાઢીને તેના મુખ પર થૂંકે. અને તે તેને એમ કહે કે, ‘જે કોઈ પોતાના ભાઈનું ઘર ન બાંધે તેની એવી જ વલે થાઓ.’


વળી આપણાં શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ?


Lean sinn:

Sanasan


Sanasan