Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 11:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને હું ઊતરી આવીશ, ને ત્યાં તારી સાથે વાત કરીશ. અને મારો જે આત્મા તારા પર છે, તેમાંનો લઈને હું તેઓના પર મૂકીશ. અને તેઓ તારી સાથે લોકોનો ભાર ઊંચકે કે, તારે એકલાને તે ઊંચકવો ન પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 હું ત્યાં ઊતરી આવીશ અને તારી સાથે વાત કરીશ અને મારો જે આત્મા તારા પર છે તે હું તેમની સાથે વહેંચીશ અને પછી તેઓ લોકોનો બોજ ઉપાડવામાં તારી મદદ કરશે અને તારે એકલાએ સમગ્ર જવાબદારી ઉપાડવાની રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્મા આપ્યો છે તેમાંનો લઈને હું એ લોકો પર મૂકીશ. તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, તેથી તારે એકલાએ બોજ ઊંચકવો પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્માં આપ્યો છે તેમાંથી લઈને હું એ લોકોને આપીશ તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, પછી તારે એકલાએ તે ભાર સહન કરવો પડશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 11:17
32 Iomraidhean Croise  

અને જે નગર તથા બુરજ માણસોના દિકરાઓ બાંધતા હતા, તે જોવાને યહોવા ઊતર્યાં.


પછી ઈશ્વર ઇબ્રામાહિમની સાથે વાત પૂરી કરીને તેની પાસેથી ગયા.


અને ઇબ્રામ ઊંઘો પડયો; અને ઈશ્વરે તેની સાથે બોલતા કહ્યું,


અને યહોવા ઇબ્રાહિમની સાથે વાત પૂરી કરીને ચાલ્યા ગયા, અને ઇબ્રાહિમ પોતાને ત્યાં પાછો આવ્યો.


પ્રબોધકોના જે પુત્રો યરીખો આગળ તેની સામે ઊભેલા હતા, તેઓએ તેને જોયો, ત્યારે તેઓએ કહ્યું, “એલિયાનો આત્મા એલિશા પર ઊતરેલો છે.” તેઓ તેને મળવા આવ્યા, ને તેની આગળ જમીન સુધી નમીને તેઓએ પ્રણામ કર્યા.


તેઓ પાર ઉતર્યા પછી એમ થયું કે એલિયાએ એલિશાને કહ્યું, “તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલાં તું માંગ કે હું તારે માટે શું કરું.” એલિશાએ કહ્યું, “કૃપા કરીને તમારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.”


વળી બોધ કરવા માટે તમે તમારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો, ને તમારું માન્ના તેઓના મોંથી પાછું રાખ્યું નહિ, ને તેઓની તૃષા છિપાવવા માટે તેઓને પાણી આપ્યું.


તું નિશ્ચે આવી રહેશે, તું તથા તારી સાથેના આ લોકો પણ; કેમ કે આ કામનો બોજ તારાથી ઉપાડાય એમ નથી. તું એકલો એ કામ કરી શકે નહિ.


કે તેઓ સર્વ પ્રસંગે લોકોનો ન્યાય કરે. અને એમ થાય, કે પ્રત્યેક મોટો મુકદમો તેઓ તારી પાસે લાવે, ને પ્રત્યેક મોટો મુકદમો તેઓ તારી પાસે લાવે, ને પ્રત્યેક નાનો મુકદમો તેઓ પોતે ચૂકવે. તેથી તને વધારે સહેલું પડશે, ને કામના બોજમાં તેઓ તારા ભાગીદાર થશે.


ને ત્રીજા દિવસને માટે તૈયાર થાય; કેમ કે ત્રીજે દિવસે યહોવા સર્વ લોકોના જોતાં સિનાઇ પર્વત ઉપર ઊતરશે.


અને યહોવા સિનાઈ પર્વત ઉપર એટલે પર્વતના શિખર ઉપર ઊતર્યા, અને યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો, અને મૂસા ઉપર ચઢયો.


અને યહોવા મેઘમાં ઊતર્યા, ને તેની સાથે ત્યાં ઊભા રહ્યા, ને તેમણે પોતાનું ‘યહોવા’ નામ પોકાર્યું.


કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ; હું તારા સંતાન ઉપર મારો આત્મા, તથા તારા ફરજંદ પર મારો આશીર્વાદ રેડીશ;


ત્યારે તેમના લોકોએ પુરાતન સમયનું [તથા] મૂસાનું સ્મરણ કર્યું, અને કહ્યું, “સમુદ્ર પાસેથી જે અમોને પોતાના ટોળાના પાળક સહિત ઉપર લાવ્યા તે આત્મા મૂકયો,


ત્યાર પછી એવું થશે કે, હું સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, તમારા જુવાનોને સંદર્શનો થશે


અને યહોવા મેઘમાં ઊતર્યા, ને તેની સાથે બોલ્યા, ને જે આત્મા મૂસા પર હતો તેમાંનો લઈને સિત્તેર વડીલો ઉપર મૂક્યો. અને એમ થયું કે, આત્મા તેઓના ઉપર રહ્યો ત્યાં સુધી તેઓએ પ્રબોધ કર્યો, પણ ત્યાર પછી તેઓએ એમ કર્યું નહિ.


અને મેઘસ્તંભમાં યહોવા ઊતર્યા, ને મંડપના દ્વારમાં ઊભા રહ્યા, ને હારુનને તથા મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્‍ને આગળ આવ્યાં.


હું તેની સાથે બોલીશ, અને ભેદભરેલી વાતો વડે નહિ. અને તે યહોવાનું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતાં કેમ બીધાં નહિ?”


અને યહોવાએ મૂસાને કહ્યું, “નૂનનો દિકરો યહોશુઆ કે, જેનામાં [મારો] આત્મા છે, તેને તારી પાસે બોલાવીને તેના પર તારો હાથ મૂક.


અને મુલાકાતમંડપમાં મૂસા તેમની સાથે બોલવા ગયો, ત્યારે બે કરૂબો મધ્યેથી કરારકોશ પરના દયાસન ઉપરથી પોતાની સાથે બોલનારની વાણી તેણે સાંભળી; અને તે તેની સાથે બોલ્યા.


આકાશમાંથી ઊતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચઢયું.


પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી [આપવામાં આવ્યો] ન હતો.


પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે [ખ્રિસ્ત] નો નથી.


પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ, જેથી ઈશ્વરે આપણને જે વાનાં આપેલાં છે તે અમે જાણીએ છીએ.


એ માટે જે અનાદર કરે છે તે તો માણસનો નહિ, પણ તમને પોતાનો પવિત્ર આત્મા આપનાર ઈશ્વરનો અનાદર કરે છે.


તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મન પવિત્ર કર્યા છે, માટે [ખરા] અંત:કરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રેમ કરો.


એઓ પક્ષ ઊભા કરનારા, અને વિષયી છે; એઓમાં [પવિત્ર] આત્મા નથી.


એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તારા પર આવશે, ને તેઓની સાથે તું પણ પ્રબોધ કરશે, ને તું બદલાઈને જુદો જ માણસ થઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan