Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 9:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તમે તમારા પવિત્ર સાબ્બાથો વિષે તેઓને જ્ઞાન આપ્યું. તમારા સેવક મૂસાની મારફતે તમે તેઓને આજ્ઞાઓ, વિધિઓ તથા નિયમશાસ્ત્ર ફરમાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તમે તેમને તમારા સાબ્બાથો પવિત્ર પાળવાનું શીખવ્યું. અને તમારા સેવક મોશે મારફતે તમે તેમને આજ્ઞાઓ આદેશો અને નિયમો આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તમે તમારા પવિત્ર વિશ્રામવાર વિષે તેઓને જ્ઞાન આપ્યું અને તમારા સેવક મૂસા મારફતે તેઓને આજ્ઞાઓ, વિધિઓ અને નિયમો ફરમાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેં તારા પવિત્ર સાબ્બાથો વિષે તેઓને જ્ઞાન આપ્યું, અને તારા સેવક મૂસા મારફતે તેઓને માટે તારી આજ્ઞાઓ વિધિઓ અને નિયમો જણાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 9:14
17 Iomraidhean Croise  

અને ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો, ને તેને પવિત્ર ઠરાવ્યો; કેમ કે તે દિવસે ઈશ્વર પોતાનાં બધાં ઉત્પન્‍ન કરવાનાં તથા બનાવવાનાં કામથી સ્વસ્થ રહ્યા.


જે વચન તમે તમારા સેવક મૂસાને ફરમાવ્યું, તે કૃપા કરીને સંભારો. તમે કહ્યું હતું, ‘જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો હું તમને વિદેશીઓમાં વિખૈરી નાખીશ;


અમે પોતાના ઈશ્વરના મંદિરની સેવાને માટે દર વર્ષે એક તૃતીયાંશ શેકેલ આપવાનો પોતાને માટે નિયમ ઠરાવ્યો.


અને તેણે તેઓને કહ્યું, “યહોવાએ જે કહ્યું છે તે એ છે કે, કાલે પવિત્ર વિશ્રામ, એટલે યહોવાનો પવિત્ર સાબ્બાથ છે. એ માટે તમારે જે શેકવું હોય તે શેકો, ને બાફવું હોય તે બાફો. અને જે વધે તે તમારે કાજે સવારને માટે રાખી મૂકો.”


જુઓ, યહોવાએ તમને સાબ્બાથ આપ્યો છે, તે માટે છઠ્ઠે દિવસે તે તમને બે દિવસનું અન્‍ન આપે છે. તમ પત્યેક પુરુષ પોતપોતાના રહેઠાણમાં રહો, સાતમે દિવસે કોઈ પણ માણસ પોતાના રહેઠાણમાંથી બહાર ન જાય.”


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું પર્વત પર મારી પાસે આવ, ને ત્યાં ઊભો રહે. અને શિલાપાટીઓ તથા નિયમ તથા જે આજ્ઞા મેં લખી છે, તે હું તને આપીશ, એ માટે કે તું તે લોકોને શીખવે.”


મેં તેઓને મારા એવા વિધિઓ આપ્યા, ને તેઓને એવી આજ્ઞાઓ ફરમાવી કે જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે.


તે ઉપરાંત મારી ને તેઓની વચમાં ચિહ્‍ન તરીકે મેં મારા સબ્બાથો પણ તેઓને આપ્યા, એ માટે કે તેઓ જાણે કે તેમને પવિત્ર કરનાર તે હું યહોવા છું.


મારા સાબ્બાથોને પવિત્ર માનો. અને તેઓ મારી ને તમારી વચમાં ચિહ્‍નરૂપ થશે, જેથી તમે જાણશો કે હું યહોવા તમારો ઈશ્વર છું.


તમો પ્રત્યેક મનુષ્ય પોતાની માની તથા પોતાના પિતાની બીક રાખો, ને તમે મારા સાબ્બાથ પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું.


જે આજ્ઞાઓ યહોવાએ ઇઝરાયલી લોકોને માટે સિનાઈ પર્વત પર મૂસાને ફરમાવી તે એ છે.


કેમ કે નિયમશાસ્‍ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી.


ઇઝરાયલી લોકો મિસરમાંથી નિકળ્યા ત્યારે મૂસાએ તેઓને જે કરારો તથા વિધિઓ તથા કાનૂનો કહી સંભળાવ્યા તે આ છે:


જુઓ, મેં તમને યહોવા મારા ઈશ્વરના ફરમાન પ્રમાણે વિધિઓ તથા કાનૂનો શીખવ્યા છે, એ માટે કે જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે વર્તો.


પણ તું તો અહીં મારી પાસે ઊભો રહે, ને હું તને સર્વ આજ્ઞાઓ, વિધિઓ તથા કાનૂનો કહીશ, ને તું તે [સર્વ] તેઓને શીખવજે. એ માટે કે જે દેશ હું તેઓને વતન કરી લેવા માટે આપું છું તેમાં તેઓ તે પાળે.’


Lean sinn:

Sanasan


Sanasan