Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 6:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે સાન્બાલ્લાટને, ટોબિયાને, અરબી ગેશેમને તથા અમારા બીજા શત્રુઓને ખબર મળી કે, મેં કોટ બાંધ્યો છે અને તેમાં એકે બાકું રહી ગયું નથી; ત્યારે (જો કે તે સમય સુધી મેં દરવાજાઓનાં કમાડો ચઢાવ્યા નહોતાં તોપણ;)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 સાનબાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ અને અમારા અન્ય દુશ્મનોએ જાણ્યું કે અમે કોટનું બાંધકામ પૂરું કર્યું છે અને હવે તેમાં કોઈ ગાબડાં પૂરવાનાં બાકી રહ્યાં નથી. જો કે હજી અમે દરવાજાનાં બારણાં ચડાવ્યાં નહોતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે જ્યારે સાન્બાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ તથા અમારા બીજા દુશ્મનોને ખબર મળી કે મેં કોટ ફરી બાંધ્યો છે અને તેમાં કશું બાકી રહ્યું નથી, જોકે તે વખત સુધી મેં દરવાજાઓનાં બારણાં બેસાડ્યાં નહોતાં

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જ્યારે સાન્બાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ અને અમારા બીજા દુશ્મનોને ખબર મળી કે મેં દીવાલો ફરી બાંધી છે, અને તેમાં એક પણ બાકોરૂં રહ્યું નથી, ભલે આ સાચું હોય પણ જોકે તે વખતે હજી મેં દરવાજાને બારણાં ચઢાવ્યાં નહોતાં.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 6:1
10 Iomraidhean Croise  

એ અગાઉ, એલ્યાશીબ યાજક જેને આપણા ઈશ્વરના મંદિરની ઓરડીઓનો કારભારી ઠરાવ્યો હતો,


ઇઝરાયલી લોકોનું હિત સાધવાને એક માણસ ત્યાં આવ્યો છે એ સાંભળીને હોરોની સાન્બાલાટને તથા આમ્મોની ચાકર ટોબિયાને ઘણું ખોટું લાગ્યું.


પણ હોરોની સાન્બાલ્લાટે, આમ્મોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી કરી, અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, “તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઈચ્છો છો?”


એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને મેંઢાભાગળ બાંધી, અને તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેના કમાડો ચઢાવ્યાં. તેઓએ હામ્મેઆ બુરજ સુધી અને છેક હનાનેલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.


હાસ્સેનાના પુત્રોએ મચ્છીભાગળ બાંધી. તેઓએ તેના મોભ ગોઠવ્યા, તેનાં કમાડો ચઢાવ્યાં. મિજાગરાં જડ્યાં અને ભૂંગળો બેસાડી.


જૂના દરવાજાની મરામત પાસેઆનો પુત્ર યાયાદા તથા બસોદ્યાનો પુત્ર મશુલ્લામ કરતા હતા. તેઓએ તેના પાટડા ગોઠવ્યા, તેનાં કમાડો ચઢાવ્યાં, અને મિજાગરા જડીને ભૂંગળો બેસાડી.


અમે કોટ બાંધીએ છીએ, એ જ્યારે સાન્બાલ્લાટે સાંભળ્યું ત્યારે તે ક્રોધાયમાન થયો, તેને ઘણો રોષ ચઢ્યો, ને તેણે યહૂદીઓની હાંસી કરી.


હવે કોટ બંધાઈ રહ્યો, મેં દરવાજા ઊભા કર્યા, ને દ્વારપાળો તથા ગવૈયાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી.


એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને [ફરી] બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે.


Lean sinn:

Sanasan


Sanasan