Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 5:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 વળી મેં કહ્યું, “જે કૃત્ય તમે કરો છો તે સારું નથી. રખેને આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે [એવી બીક રાખીને] તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પછી મેં કહ્યું, “આ તમે બહુ જ ખોટું કરો છો. તમારે તો ઈશ્વરથી ડરીને સદાચારથી વર્તવું જોઈએ. એવું કરશો તો તમે આપણા બિનયહૂદી શત્રુઓને આપણી નિંદા કરવાનું નિમિત્ત આપશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 વળી મેં કહ્યું કે, “તમે જે કરી રહ્યા છો તે સારું નથી. આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે એવી બીક રાખીને શું તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 વળી મેં કહ્યું કે, “તમે આ બધું ખોટું કરી રહ્યા છો! શું તમારે દેવથી ડરીને ચાલવું નથી જેથી આપણા શત્રુઓ વિદેશીઓ આપણી હાંસી ન ઉડાવે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 5:9
21 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમ બોલ્યો, ખચીત આ ઠેકાણે ઈશ્વરનું ભય નથી, ને મારી પત્નીને લીધે તેઓ મને મારી નાંખશે, એવું ધારીને મેં એમ કર્યું છે.


અને ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે આમ કરો ને જીવતા રહો. કેમ કે હુમ ઈશ્વરથી બીહું છું:


તોપણ આ કૃત્યથી તમે યહોવાના શત્રુઓને તેમની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે, માટે જે દિકરો તમારે ત્યાં અવતર્યો છે તે નકકી મરી જશે.”


“હે અમારા ઈશ્વર, સાંભળો, અમારો તિરસ્કાર કરવામાં આવે છે! તેઓ અમારી નિંદા કરે છે તેનો તેમને તમે બદલો આપો. તેઓ બંદીવાસમાં જાઓ, અને તેમના ઘરબાર લૂંટાઈ જાઓ!


હું, મારા ભાઈઓ તથા મારા સેવકો, તેઓને પૈસા ને અનાજ ધીરતા આવ્યા છીએ. તો હવે કૃપા કરીને આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ.


પણ મારા પહેલાં જે સૂબાઓ હતા, તેઓના ખરચનો બોજો એ લોકો પર પડતો, તેઓ એમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ, તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકલ રૂપું લેતા હતા. હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા. પણ ઈશ્વરના ભયને લીધે મેં તો એમ કર્યું નથી.


તમારા કોપના બળને, તથા તમારો રોષ [ધ્યાનમાં લઈને] તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?


જુલમી માણસ પોતાના પડોશીને લલચાવીને અશુભ માર્ગમાં દોરી જાય છે.


વળી નેકીવાનને દંડ કરવો, તથા પ્રામાણિકપણાને લીધે સજ્‍જનોને મારવા એ યોગ્ય નથી.


દુષ્ટની શેહશરમ રાખવી, તથા ઇનસાફમાં નેક માણસને છેહ દેવો એ યોગ્ય નથી.


વળી આત્મા અજ્ઞાન રહે તે સારું નથી; અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે.


આ પણ જ્ઞાનીઓનાં [વચન] છે. ઇનસાફમાં આંખની શરમ રાખવી તે યોગ્ય નથી.


જે પ્રજાઓમાં તેઓ ગયા ત્યાં જઈને રહ્યા પછી તેઓએ મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો; કેમ કે લોકો તેઓ વિષે કહેઆ હતા કે, આ તો યહોવાના લોકો છે, ને [તેના] દેશમાંથી નીકળી અવ્યા છે.


તું તેની પાસેથી કંઈ વ્યાજ કે નફો ન લે, પણ તારા ઈશ્વરનો ડર રાખ; એ માટે કે તારો ભાઈ તારી સાથે પોતાની જિંદગી ગાળે.


ત્યારે આખા યહૂદિયા, ગાલીલ તથા સમરૂનમાંની મંડળી દઢ થઈને શાંતિ પામી. અને પ્રભુના ભયમાં તથા પવિત્ર આત્માના દિલાસામાં ચાલીને વધતી ગઈ.


કેમ કે [શાસ્‍ત્રમાં] લખેલું છે તે પ્રમાણે, તમારે લીધે વિદેશીઓમાં ઈશ્વરના નામની નિંદા થાય છે.


માટે જુવાન [વિધવાઓ] પરણે, બાળકોને જન્મ આપે, ઘર ચલાવે, અને વિરોધીઓને નિંદા કરવાનું નિમિત્ત ન આપે, એવી મારી ઇચ્છા છે.


અને પ્રભુની વાતની નિંદા ન થાય, માટે તેઓ તેમને મર્યાદાશીલ, પતિવ્રતા, ઘરનાં કામકાજ કરનારી, માયાળુ થવાનું, તથા તેમના પતિને આધીન રહેવાનું સમજાવે.


અને વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં સારાં કામ જોઈને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.


ના, મારા દીકરાઓ; જે હકીકત હું સાંભળું છું તે સારી નથી; તમે તો યહોવાના લોકો પાસે [તેમની આજ્ઞાનું] ઉલ્લંઘન કરાવો છો.


Lean sinn:

Sanasan


Sanasan