Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 5:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેટલાકે કહ્યું, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણા માણસો છીએ; અમને અન્ન આપો કે અમે ખાઈને જીવતાં રહીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 કેટલાકે કહ્યું, “અમારાં કુટુંબો ઘણાં મોટાં છે અને અમે જીવતા રહીએ તે માટે અમારે અનાજની જરૂર છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેમાંના કેટલાંક કહેવા લાગ્યાં કે, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ. તેથી અમને અનાજ આપો કે જેથી અમે તે ખાઈને જીવતાં રહીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 એમાંના કેટલાક કહેવા લાગ્યાં કે, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ; અમને અનાજ આપો કે જેથી અમે તેને ખાઇને જીવતાં રહીએ.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 5:2
11 Iomraidhean Croise  

અને સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવતા હતા; કેમ કે આખી પૃથ્વી પર દુકાળ ભારે હતો.


અને તેણે કહ્યું, “જુઓ, મેં સાંભળ્યું છે કે મિસરમાં અનાજ છે. ત્યાં જાઓ, ને ત્યાંથી આપણે માટે વેચાતુમ લાવો કે, આપણે જીવતા રહીએ, ને મરી જઈએ નહિ.”


અને યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, “મારી સાથે છોકરાને મોકલો. અને અમે ચાલી નીકળીએ કે, અમે અને તમે અને આપણાં છોકરાં જીવતાં રહીએ ને મરી જઈએ નહિ.


તમારા દેખતાં અમે અમારાં ખેતરો સુદ્ધાં શા માટે નાશ પામીએ? રોટલીને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લો, ને અમે તથા અમારાં ખેતર ફારુનના દાસ થઈશું; અને અમને બી આપો કે, અમે જીવતા રહીએ ને મરીએ નહિ, ને જમીન પડતર રહે નહિ.”


હવે પ્રબોધકોના પુત્રોની પત્નીઓમાંની એક સ્ત્રીએ એલિશાને કરગરીને કહ્યું, “તમારા સેવક મારા ભરથાર મરણ પામ્યા છે. તમે જાણો છો કે તમારા સેવક યહોવાનો ડર રાખતા હતા. અને લેણદાર મારા બે છોકરાને પોતાના ગુલામ કરવા માટે લઈ જવા આવ્યો છે.”


કેટલાકે કહ્યું, “અમે અમારાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકવાને તૈયાર છીએ. [તે પર] અમને દુકાળમાં અનાજ આપો.”


તમે વાવ્યું છે તો બહુ, પણ ઘેર થોડું જ લાવ્યા છો. તમે ખાઓ છો, પણ ધરાઈને નહિ. તમે પીઓ છો પણ પીવાથી તૃપ્ત થતા નથી. તમે વસ્ત્ર પહેરો છો, પણ કોઈમાં ગરમી આવતી નથી; અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.”


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “જો મારા નામને ગૌરવ આપવાનું તમે સાંભળશો નહિ, તથા તમારા અંત:કરણમાં તે ઠસાવશો નહિ, તો હું તમારા પર શાપ મોકલીશ, ને તમારા [આપેલા] આશીર્વાદોને હું શાપરૂપ કરી નાખીશ. હા, હું તેમને શાપરૂપ કરી ચૂકયો છું, કેમ કે તમે તમારા અંત:કરણમાં એ ઠસાવતા નથી.


તું તારા ભાઈને કંઈ પણ વ્યાજે ન ધીર. નાણાંનું વ્યાજ કે અનાજનું વ્યાજ કે વ્યાજે ધીરાતી કોઈ પણ વસ્તુનું વ્યાજ ન લે.


Lean sinn:

Sanasan


Sanasan