Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 5:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 મેં મારો ખોળો ખંખેરી નાખીને કહ્યું, “જે કોઈ આ વચન ન પાળે તે દરેકનો ધંધો તોડી પાડીને તેના ઘરને ઈશ્વર આ પ્રમાણે ખંખેરી નાખો. એમ જ તે ખંખેરી નંખાઈને ખાલી થઈ જાઓ.”ત્યારે સર્વ લોકોએ કહ્યું, “આમીન.” તેઓએ યહોવાની સ્તુતિ કરી. અને લોકોએ એ વચન‍ પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પછી મેં કમરે ગાંઠે બાંધેલ વસ્ત્ર છોડીને ખંખેરી નાખતાં કહ્યું, “તમારામાંથી પોતાનું વચન ન પાળનારને પ્રભુ આ રીતે ખંખેરી નાખશે. ઈશ્વર તમારાં ઘર અને તમારું સર્વસ્વ લઈ લેશે અને તમને ખાલીખમ કરી નાખશે.” ત્યાં હાજર એવા બધા લોકો “આમીન” બોલ્યા અને પ્રભુની સ્તુતિ કરી. આગેવાનોએ પણ પોતાનું વચન પાળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પછી મેં તેઓને ચેતવણી આપી કે, “જે માણસ પોતાનું વચન ન પાળે તેઓનું પોતાનું ઘર, મિલકત તથા સર્વસ્વ ઈશ્વર નષ્ટ કરો. આખી સભાએ કહ્યું, “આમીન.” અને તેઓએ યહોવાહની સ્તુતિ કરી. અને તે લોકોએ આપેલા વચન પ્રમાણે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ત્યારબાદ મેં મારા કપડા પર પડેલી ઘડીઓ ખંખેરતા કહ્યું, “જે માણસ પોતાનું વચન ન પાળે તેની પાસેથી દેવ તેનું ઘર અને મિલકત આ રીતે ખંખેરી લો; એને ખંખેરીને ખાલી કરી નાખો.” તેથી ત્યાં ભેગા થયેલા બધા લોકો બોલી ઊઠયા, “આમીન!” પછી તેઓએ યહોવાની સ્તુતિ કરી. અને તેઓ બધા આપેલા વચન પ્રમાણે ર્વત્યા.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 5:13
17 Iomraidhean Croise  

રાજા થાંભલા પાસે ઊભો રહ્યો, ને આ કરારનાં જે વચનો આ પુસ્તકમાં લખેલાં હતાં તે સર્વને અમલમાં લાવવા માટે, સંપૂર્ણ મનથી, તથા સંપૂર્ણ ભાવથી યહોવાને અનુસરવાનો, ને તેમની આજ્ઞાઓ, તેમનાં સાક્ષ્ય તથા તેના વિધિઓ પાળવાનો તેણે યહોવા આગળ કરાર કર્યો; અને સર્વ લોક એ કરારમાં સામેલ થયા.


ઇઝરાયલના ઈશ્વર યહોવા અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ.” સર્વ લોકે ‘આમેન’ કહીને યહોવાની સ્તુતિ કરી.


મહાન ઈશ્વર યહોવાને એઝરાએ ધન્યવાદ આપ્યો. સર્વ લોકે પોતાના હાથ ઊંચા કરીને, “આમીન, આમીન” કહ્યું, લોકોએ માંથા નમાવીને પોતાનાં મુખ ભૂમિ તરફ રાખ્યાં અને યહોવાનું ભજન કર્યું.


હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ એવી પ્રતિજ્ઞા મેં કરી હતી, અને તે પાળી પણ છે.


ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ. અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર;


તમારા ઈશ્વર યહોવાની માનતા લઈને પૂરી કરો; તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.


નિયમ તોડનારાઓ દુષ્ટોનાં વખાણ કરે છે; પણ નિયમ પાળનારાઓ તેઓની સામે ટક્કર ઝીલે છે


તું માનતા માનીને તે ન ઉતારે તેના કરતાં માનતા ન માને એ સારું છે.


અને શાપકારક પાણી તારાં આંતરડામાં જઈને તારા પેટને સુજાવી દે, ને તારી જાંઘને સડાવી નાંખે;’ અને તે સ્‍ત્રી કહે ‘આમીન, આમીન.’


અને જો કોઈ તમારો આવકાર ન કરે, ને તમારી વાતો ન સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો.


પણ તેઓ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને ઈકોનિયમ ગયા.


પણ તેઓ તેની સામે થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે તેણે પોતાનાં વસ્‍ત્ર ખંખેરીને તેઓને કહ્યું, “તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ‌ છું. હવેથી હું વિદેશીઓની પાસે જઈશ.”


નહિ તો, જો તું આત્માતથી સ્તુતિ કરીશ તો ત્યાં બેઠેલો અભણ માણસ તારી આભારસ્તુતિ સાંભળીને આમીન શી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે એ તે સમજતો નથી.


શમુએલે તેને કહ્યું, “યહોવાએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે, ને તારો જે પડોશી તારા કરતાં સારો છે તેને તે આપ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan