Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 4:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યહૂદિયાના લોકોએ કહ્યું, “મજૂરો થાકી ગયા છે, અને કચરો તો હજી બહું છે, માટે અમે કોટ બાંધી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 યહૂદિયાના લોકો કહેતા હતા, “ભાર ઊંચકનાર મજૂરોની તાક્ત ઘટતી જાય છે, અને તૂટેલા પથરા પાર વગરના પડયા છે. આપણાથી આ કોટ કેવી રીતે પૂરો થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી યહૂદિયાના લોકોએ કહ્યું કે, “વજન ઊંચકનારા મજૂરો પોતાના સામર્થ્ય ગુમાવી દીધા છે અને ત્યાં એટલો બધો કચરો છે કે અમે આ કોટ બાંધી શકતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યહૂદાના લોકોએ કહ્યું કે, “મજૂરોની શકિત ઘટતી જાય છે, અને ત્યાં એટલી બધી ગંદકી છે કે આ દીવાલ અમે ફરી બાંધી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 4:10
10 Iomraidhean Croise  

તેણે તેઓમાંના સિત્તેર હજારને ભાર ઊંચકવા માટે, એંશી હજારને પર્વતમાં લાકડાં કાપવા માટે તથા ત્રણ હજાર છસોને લોકોની દેખરેખ રાખવા માટે મુકાદમ તરીકે નીમ્યા.


તેઓ ભાર ઊંચકનારાઓના ઉપરી હતાં ને દરેક પ્રકારની સેવામાં કામ કરવારાઓ ઉપર તેઓ મુકાદમી કરતા હતા. વળી કેટલાક લેવીઓ લહિયા, કારભારીઓ તથા દ્વારપાળો હતા.


અમારા શત્રુઓએ એમ કહ્યું કે, અમે તેઓના ઉપર ઘસારો કરીને તેઓને મારી નાખીશું, અને કામ અટકાવીશું, ત્યાં સુધી તેઓ જાણશે નહિ, તેમ દેખશે પણ નહિ.


પોતાના ભાઈઓની તથા સનરુનના સૈન્યની સમક્ષ તેણે કહ્યું, “આ નિર્મળ યહૂદિઓ શું કરે છે? શું તેઓ પોતાને માટે કોટ બાંધવાના? શું તેઓ યજ્ઞ કરવાના? શું તેઓ એક જ દિવસમાં પૂરું કરવાના? શું બળી ગયેલી [ઇમારતોનાં] ધૂળઢેફાંના ઢગલામાંથી તેઓ પાછા પથ્થર ઉપજાવવાના?”


પણ અમે અમારા ઈશ્વરની પ્રાર્થના કરી, ને રાતદિવસ તેઓની તપાસ રાખવાને ચોકિદારો મૂક્યાં.


“હે મનુષ્યપુત્ર. બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના સેન્ય પાસે તૂરની વિરુદ્ધ ભારે પ્રયત્ન કરાવ્યો, દરેકનું માથું બેડું થઈ ગયું, ને દરેકના ખભા છોલાઈ ગયા; તોપણ તૂરની વિરુદ્ધ જે પ્રયત્ન તેણે કર્યો હતો તેને માટે તેને કે તેના સૈન્યને તૂર પાસેથી કંઈ બદલો મળ્યો નહિ.


“સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, ‘આ પ્રજા કહે છે કે, “વખત, હજુ આવ્યો નથી. એટલે યહોવાનું મંદિર બાંધવાનો વખત હજુ આવ્યો નથી.’”


પણ જે માણસો તેની સાથે ગયા હતા તેઓએ કહ્યું, “એ લોકોની સામે આપણે ચઢાઈ કરી શકતા નથી; કેમ કે તેઓ આપણા કરતાં બળવાન છે.”


કેમ કે જ્યારે તેઓએ એશ્કોલના નીચાણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇઝરાયલી લોકોનું મન નિરાશ કરી નાખ્યું, એ માટે કે યહોવાએ તેમને જે દેશ આપ્યો હતો તેમાં તેઓ જાય નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan