Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 3:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 (હવે નથીનીમ ઓફેલમાં પૂર્વ તરફ પાણીના દરવાજા સામેની જગા સુધી તથા બહાર પડતા બુરજ સુધી રહેતા હતા.)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 હવે ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહેતા હતા, તેઓ પૂર્વની બાજુ પાણીના દરવાજાથી તે બહાર પડતા બુરજ સુધીના ખૂણાની મરામત કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 અને મંદિરના સેવક જે ઓફેલમાં રહેતા હતા, તેઓએ પૂર્વની બાજું પાણીના દરવાજાથી તે બહાર પડતા બુરજ સુધીના ખૂણાનું સમારકામ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 3:26
13 Iomraidhean Croise  

પોતપોતાના વતનોનાં નગરોમાં જે પ્રથમ રહેવા આવ્યા તે તો ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ તથા નથીનીમ હતા.


તેણે યહોવાના મંદિરનો ઉપલો દરવાજો બાંધ્યો, ને ઓફેલના કોટ ઉપર તેણે પુષ્કળ બાંધકામ કર્યું.


તે પછી તેણે દાઉદનગરનો બહારનો કોટ, ગિહોનની પશ્ચિમ બાજુએ, ખીણમાં છેક મચ્છી ભાગળના નાકા સુધી બાંધ્યો. તેણે ઓફેલની આસપાસ વધારીને તેને ઘણો ઊંચો કર્યો; તેણે યહૂદિયાના સર્વ કિલ્લાવાળા નગરોમાં શૂરા સરદારો રાખ્યા.


બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, નથીનીમ, તથા જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે દેશોના લોકોથી અલગ થયા હતા, તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો તથા તેઓની પુત્રીઓ, જે સર્વ જાણી શકે તથા સમજી શકે એવાં હતાં,


પણ નથીનીમ ઓફેલમાં વસ્યા; સીહા તથા ગિશ્પા નથીનીમના ઉપરી હતા.


કારંજાને દરવાજેથી સીધા આગળ [ચાલીને] દાઉદનગરનાં પગથિયાં પર થઈને, કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપલી બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ [ગયા].


તેના પછી તકોઈઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે ઓફેલના કોટ સુધી બીજા એક ભાગની મરામત કરતા હતા.


સાતમો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકત્ર થયા; મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઇઝરાયલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવાને તેઓએ એઝરા શાસ્ત્રીને કહ્યું.


તે પ્રમાણે લોકો જઈને તે લઈ આવ્યા, ને તેઓમાંના દરેકે પોતાના ઘરના ધાબા પર, પોતાના આંગણામાં, પણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઈમની ભાગળના ચોકમાં પોતાને માટે માંડવા કર્યા.


પાણીના દરવાજા સામેના ચોક આગળ પરોઢિયાની બપોર સુધી, સ્ત્રીપુરુષો તથા સાંભળીને સમજી શકે એવાઓની આગળ, તેણે તેમાંથી વાંચી સંભળાવ્યું. સર્વ લોક તે નિયમશાસ્ત્રનું પુસ્તક [ધ્યાનથી] સાંભળતા હતા.


કેમ કે રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે; વસતિવાળું નગર ઉજજડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાંના આનંદનું સ્થાન, અને ઘેટાંનું ચરણ થશે.


Lean sinn:

Sanasan


Sanasan