Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 2:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 મેં રાજાને કહ્યું, “જો આપની મરજી હોય, અને જો આપના સેવક પર આપની કૃપાર્દષ્ટિ હોય, તો યહૂદિયાના જે નગરમાં મારા પિતૃઓની કબરો છે ત્યાં મને જવા દો, જેથી હું તે ફરીથી બાંધું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પછી મેં રાજાને કહ્યું, “નામદાર, મારા પર આપની કૃપા હોય અને આપ મારી વિનંતી માન્ય રાખો તો મને યહૂદિયા દેશમાં જવાની રજા આપો અને જે શહેરમાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તેનો પુનરોદ્ધાર કરવા જવા દો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી મેં રાજાને કહ્યું, “આપને ઠીક લાગે તો મને યહૂદિયા જવાની રજા આપો. કારણ કે જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા, તે શહેરનો હું ફરીથી જીર્ણોધ્ધાર કરી શકું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અને મેં રાજાને જવાબ આપ્યો, “જો તમે પ્રસન્ન હો અને તમને ઠીક લાગે તો મને યહૂદા જવાની રજા આપો. કારણકે હું તે શહેરને ફરીથી બાંધી શકું જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા.”

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 2:5
12 Iomraidhean Croise  

યોઆબે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, ને રાજાને ધન્યવાદ આપ્યો. અને યોઆબે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, આજે મને ખાતરી થઈ છે કે હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો છું, કેમ કે તમે મારી વિનંતી મંજૂર રાખી છે.”


તો હવે, જો આપની ર્દષ્ટિમાં ઠીક લાગે તો, કોરેશ રાજાએ યરુશાલેમમાં ઈશ્વરનું આ મંદિર બાંધવાનો હુકમ કર્યો હતો કે નહિ, એની શોધ આપના બાબિલમાંના ભંડારમાં કરાવશો, અને તે બાબત આપની ઇચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો.”


રાજાએ મને પૂછ્યું, “તારી અરજ શી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.


રાજાએ મને પૂછ્યું, (રાણી પણ રાજાની પાસે જ બેઠેલી હતી), તને ત્યાં જતાં કેટલો વખત લાગશે? અને તું ક્યારે પાછો આવશે?” મેં રાજાની સાથે અમુક મુદત ઠરાવી. ત્યાર પછી રાજાએ મને કૃપા કરીને જવા દીધો.


જો રાજાની ઇચ્છા હોય તો એક બાદશાહી ફરમાન બહાર પાડવું જોઈએ, ને તે ફરે નહિ માટે ઈરાનના તથા માદાયના કાયદાઓમાં તે નોંધાવું જોઈએ કે, ‘વાશ્તી હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવે; અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી હોય તેને આપવું.’


જો આપની મારા પર કૃપાર્દષ્ટિ હોય, અને જો આપને મારી અરજ પ્રમાણે બક્ષિસ આપવાની તથા મારી વિનંતી ફળીભૂત કરવાની ઈચ્છા હોય, તો રાજા ને હામાન જે મિજબાની હું તેઓને માટે તૈયાર કરું, તેમાં આવે, એટલે રાજાના કહેવા પ્રમાણે હું કાલે કરીશ.”


ત્યાર એસ્તેર રાણીએ ઉત્તર આપ્યો, “હે રાજા, જો મારા પર આપની કૃપાર્દષ્ટિ હોય, અને જો આપની મરજી હોય, તો મને જીવતદાન આપો, એ મારી અરજ છે, અને મારા લોક મને આપો, એ મારી વિનંતી છે.


તેણે કહ્યું, “જો આપની મરજી હોય, અને જો મારા પર આપની કૃપાદષ્ટિ હોય, અને આ વાત આપને યોગ્ય લાગતી હોય, અને આપની આંખોને હું ગમતી હોઉં, તો રાજાના સર્વ પ્રાંતોના યહૂદીઓનો નાશ કરવાના ઇરાદાથી અગાગી હામ્માદાથાના પુત્ર હામાને જે પત્રો લખ્યા હતા, તે રદ કરવાનો [હુકમ] આપવો જોઈએ;


તેથી તું ઈશ્વર તથા માણસની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે.


એ માટે જાણ તથા સમજ કે, યરુશાલેમની મરામત કરવાનો તથા તેને [ફરી] બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં સાત અઠવાડિયાં વીતશે. અને બાસઠ અઠવાડિયામાં, શેરીઓ તથા ખાઈસહિત, અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે.


ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મુડદાંના હાડકાંએ તથા દરેક અશુદ્ધપણાએ ભરેલી છે.


ત્યારે તેણે કહ્યું, “હે મારા સાહેબ, મારા પર કૃપાદષ્ટિ રાખો, કેમ કે તમે મને દિલાસો આપ્યો છે, ને જો કે હું તમારી દાસીઓમાંની એકના જેવી નથી, તોપણ તમે આ તમારી દાસી સાથે માયાળુપણે બોલ્યા છો.”


Lean sinn:

Sanasan


Sanasan