Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 12:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તે દિવસે તેઓએ પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કારણ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરુશાલેમથી દૂર સુધી સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 એ દિવસે ઘણાં બલિદાનો અર્પવામાં આવ્યાં. અને ઈશ્વરે લોકોને આનંદથી ભરપૂર કર્યા હોઈ તેઓ બહુ ખુશ હતા. ઉત્સવમાં સ્ત્રીઓ અને બાળકો પણ જોડાયાં હતાં. એ બધાંનો અવાજ એટલો મોટો હતો કે યરુશાલેમથી દૂર દૂર સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 અને તે દિવસે તેમણે પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કેમ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એટલો મોટો હતો કે તેનો અવાજ યરુશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 તે દિવસે તેમણે પુષ્કળ બલીઓ અપીર્ તથા આનંદોત્સવ કર્યો; કારણ કે દેવે તેઓને આનંદથી અને સુખથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરૂશાલેમથી ઘણે દૂર સુધી સંભળાતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 12:43
29 Iomraidhean Croise  

યહૂદિયાના સર્વ લોકો, તેઓના બાળકો, તેઓની સ્ત્રીઓ તથા તેઓનાં છોકરાં યહોવાની આગળ ઊભા રહ્યાં.


પછી યહૂદિયા તથા યરુશાલેમના તમામ પુરુષો આનંદભેર યરુશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેમને મોખરે [ચાલતો] હતો. કેમ કે યહોવાએ તેમના શત્રુઓનો [પરાજય કરીને] તેઓને હર્ષ પમાડ્યો હતો.


વળી જે મહેર યહોવાએ દાઉદ, સુલેમાન તથા તેના ઇઝરાયલી લોકો પર રાખી હતી, તેને લીધે આનંદ કરતાં તથા મનમાં હરખાતા લોકોને તેણે સાતમાં માસને ત્રેવીસમે દિવસે તેમના તંબુઓમાં પાછા મોકલી દીધા.


માટે લોકનો પોકાર હર્ષનો છે કે વિલાપનો છે તે કળી શકાતું નહોતું. લોકે ખુબ બુમરાણ મચાવ્યું હતું, તેનો ઘોંઘાટ ઘણે દૂર સુધી સંભળાતો હતો.


યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગાઓમાંથી શોધી કાઢ્યા કે, આભારસ્તુતિના ગાયનો કરતાં, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેઓને યરુશાલેમમાં લાવે.


માસેયા, શમાયા, એલાઝાર, ઉઝ્ઝિ, યહોહાનાન, માલ્કિયા, એલામ તથા એઝેર પણ તેની જ રીતે ઊભા રહ્યા હતા. ગવૈયાઓ પોતાના ઉપરી યિઝાહ્યા સાથે મોટેથી ગાતા હતા.


જ્યારે તે શાંતિ આપે, ત્યારે તેમને દોષપાત્ર કોણ ઠરાવી શકે? વળી પ્રજાથી અથવા માણસથી તે પોતાનું મુખ અદશ્ય રાખે, ત્યારે તેમને કોણ જોઈ શકે?


હવે મારી આસપાસના‍ શત્રુઓ ઉપર મારું માથું ઊંચું કરવામાં આવશે. અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અપર્ણ ચઢાવીશ; હું ગાઈશ, હા, હું યહોવાનાં સ્તોત્ર ગાઈશ.


યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હ્રદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે, અને મને સહાય મળી છે; માટે મારા હ્રદયમાં અત્યાનંદ થાય છે. ગાયનથી હું તેમની આભારસ્તુતિ કરીશ.


હું તમારામાં આનંદ તથા ઉલ્લાસ કરીશ; હે પરાત્પર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ.


કેમ કે, હે યહોવા, તમે તમારાં કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; તમારા હાથે કરેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.


સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ, શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર આપવા માટે તેણે મને મોકલ્યો છે; જેથી તેઓ તેના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાની રોપણી કહેવાય.


ત્યારે કુમારીઓ ગાયકગણની સાથે આનંદથી નૃત્ય કરશે, તરુણો તથા વૃદ્ધો હરખાશે. હું તેઓના શોકને આનંદરૂપ કરી નાખીશ, તેઓને દિલાસો આપીશ, ને તેઓનું દુ:ખ દૂર કરીને તેઓને હર્ષિત કરીશ.


હર્ષ તથા આનંદનો સ્વર, વરકન્યા [ના વિનોદ] નો સ્વર; અને ‘સૈન્યોના [ઈશ્વર] યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા સારા છે, ને તેમની કૃપા સદાકાળ [ટકે] છે, ’ એવું કહેનારાઓનાઓ સ્વર, અને યહોવાના મંદિરમાં આભારાર્થાર્પણો લાવનારાઓનો સ્વર હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.


અને તમારા ઉત્સવને દિવસે ને તમારાં ઠરાવેલા પર્વોએ, ને તમારા માસોના આરંભમાં, તમે તમારાં દહનીયાર્પણો પર તથા તમારાં શાંત્યર્પણોના યજ્ઞ પર રણશિંગડાં વગાડો. અને તેઓ તમારા ઈશ્વરની હજૂરમાં તમારા માટે સ્મરણાર્થે થશે. હું યહોવા તમારો ઈશ્વર છું.


પણ જે‍ ચમત્કારો તેમણે કર્યા, તથા જે છોકરાં મંદિરમાં મોટે સ્વરે દાઉદના દીકરાને હોસાન્‍ના કહેતાં હતાં, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્‍ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.


અને આગળ‍ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું, “દાઉદના દીકરાને હોસાન્‍ના પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્‍ના.”


તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી. પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારાં મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી.


ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરીને તમારાં હ્રદયોમાં પ્રભુનાં ગાયનો તથા ભજનો ગાઓ.


તમારામાં શું કોઈ દુ:ખી છે? તો તેણે પ્રાર્થના કરવી, શું કોઈ આનંદિત છે? તો તેણે સ્તોત્ર ગાવાં.


જ્યારે યહોવાના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ એવો મોટો હોકારો કર્યો કે પૃથ્વીમાંથી પડઘા પડ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan