Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 9:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને પહાડ પરથી તેઓ ઊતરતા હતા, ત્યારે તેમણે તેઓને ફરમાવ્યું, “તમે જે જોયું છે તે માણસનો દીકરો મૂએલાંઓમાંથી પાછો ન ઊઠે ત્યાં સુધી કોઈને કહેતા ના.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેઓ પર્વત પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેમને આજ્ઞા આપી, “તમે જે જોયું છે તે અંગે માનવપુત્ર મરણમાંથી સજીવન થાય નહિ ત્યાં સુધી કોઈને કહેતા નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, ‘તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ઈસુ અને તેના શિષ્યો પર્વત પરથી નીચે પાછા ઉતરતા હતા ત્યારે ઈસુએ શિષ્યોને આજ્ઞા કરી, “તમે પર્વત પર જે વસ્તુઓ જોઈ છે તે વિષે કોઈ વ્યક્તિને કહેશો નહિ. માણસનો પુત્ર મૂએલામાંથી સજીવન ન થાય ત્યાં સુધી રાહ જુઓ. પછી તમે જે જોયું છે તે લોકોને કહી શકો છો.”

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 9:9
15 Iomraidhean Croise  

તે ઝઘડો નહિ કરશે, ને બૂમ નહિ પાડશે, અને તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે.


કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટમાં રહેશે.


ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા, “હું યરુશાલેમમાં જાઉં, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓને હાથે ઘણું વેઠું, ને માર્યો જાઉં, ને ત્રીજે દિવસે પાછો ઊઠું, એ જરૂરનું છે.”


કહ્યું, “સાહેબ, અમને યાદ છે કે, તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે, “ત્રણ દિવસ પછી હું ઊઠીશ.”


પછી ઈસુ તેને કહે છે, “જો જે, તું કોઈને કહીશ નહિ. પણ જા, પોતાને યાજકને બતાવ, ને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાએ ઠરાવ્યું હતું તે ચઢાવ.”


અને તેમણે તેઓને ચેતવણી આપી, “કોઈ એ ન જાણે”; અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.


અને તેમણે તેઓને મનાઈ કરી, “તમારે તે કોઈને કહેવું નહિ.” પણ જેમ જેમ તેમણે વધારે મનાઈ કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.


અને તેઓએ તે વાત મનમાં રાખી, ને ‘મૂએલાંમાંથી પાછા ઊઠવું’ એ શુ હશે તે વિષે અંદરોઅંદર વિવાદ કરતા હતા.


અને તત્કાળ ચોતરફ જોઈને તેઓએ પછી પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.


તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે, ખ્રિસ્તે દુ:ખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ.


તે વાણી થયા પછી ઈસુ એકલા દેખાયા. તેઓ છાના રહ્યા, અને તેઓએ જે જે જોયું હતું તેમાંનું કંઈ પણ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan