Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 3:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન, તેઓની અટક તેમણે ‘બને-રગેસ’ પાડી, એટલે ‘ગર્જનાના દીકરા’;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 ઝબદીના દીકરા યાકોબ અને તેનો ભાઈ યોહાન (ઈસુએ તેમને બોઆનેર્ગેસ, અર્થાત્ “ગર્જનાના પુત્રો” એવું ઉપનામ આપ્યું);

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન (ઈસુએ તેઓને બને-રગેસ એટલે “ગર્જનાના પુત્રો” નામ આપ્યા);

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 3:17
16 Iomraidhean Croise  

“તું તાણીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, અને મારા લોકોને તેમના અપરાધો, તથા યાકૂબનાં સંતાનોને તેમનાં પાપ, કહી સંભળાવ.


વળી યહોવા કહે છે, “મારું વચન અગ્નિ સરખું, તથા ખડકને ફોડનાર હથોડા સરખું નથી?”


અને ત્યાંથી આગળ જતાં તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા ઝબદીની સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને, તેઓને પણ તેડ્યા.


અને ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન તેમની પાસે આવીને કહે છે, “ઉપદેશક, અમારી ઇચ્છા છે કે, અમે જે કંઈ માંગીએ તે તમે અમારે માટે કરો.”


તે પોતાની સાથે પિતર, યાકૂબ અને યોહાનને લઈ જાય છે, અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.


અને સિમોનની અટક તેમણે પિતર પાડી;


અને આન્દ્રિયા તથા ફિલિપ તથા બર્થોલ્મી તથા માથ. અને થોમા તથા અલ્ફીનો દીકરો યાકૂબ તથા થાદ્દી તથા સિમોન કનાની,


અને પિતર, યાકૂબ તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધા.


અને છ દિવસ પછી ઈસુ પિતરને તથા યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ જાય છે; અને તેઓની આગળ તેમનું રૂપાંતર થયું.


એ જોઈને તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને તેમને પૂછ્યું, “પ્રભુ, શું તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે આકાશથી આગ પડીને તેઓનો નાશ કરે?”


સિમોન પિતર, થોમા (જે દીદીમસ કહેવાતો હતો તે), ગાલીલના કાનાનો નાથાનાએલ, ઝબદીના દીકરા, તથા તેમના શિષ્યોમાંના બીજા બે, એકત્ર થયા હતા.


આશરે તે જ સમયે હેરોદ રાજાએ મંડળીના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.


કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હ્રદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે,


ત્યારે મને એમ કહેવામાં આવે છે, “ઘણા લોકો તથા દેશો તથા ભાષાઓ તથા રાજાઓ વિષે તારે પ્રબોધ કરવો જોઈએ.”


Lean sinn:

Sanasan


Sanasan