Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માર્ક 1:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને અરણ્યમાં ચાળીસ દિવસ સુધી તે રહ્યા, ને શેતાનથી તેમનું પરીક્ષણ થયું; અને જંગલી પશુઓની સાથે તે હતા; અને દૂતોએ તેમની સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 એ વેરાન પ્રદેશમાં જંગલી પ્રાણીઓ હતાં. ઈસુ ત્યાં ચાળીસ દિવસ સુધી રહ્યા. શેતાનથી તેમનું પ્રલોભન થતું, પણ દૂતો આવીને તેમની સેવા કરતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ઈસુ રણમાં 40 દિવસો રહ્યો હતો. તે ત્યાં જંગલી પશુઓ સાથે હતો. જ્યારે ઈસુ રણમાં હતો શેતાનથી તેનું પરીક્ષણ થયું હતું. અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી.

Faic an caibideil Dèan lethbhreac




માર્ક 1:13
13 Iomraidhean Croise  

અને મૂસા મેઘની અંદર પેસીને પર્વત પર ચઢયો; અને મૂસા ચાળીસ દિવસ તથા ચાળીસ રાત પર્વત પર રહ્યો.


અને તે ત્યાં યહોવાની સાથે ચાળીસ દિવસ તથા ચાળીસ રાત હતો. તેણે રોટલી ખાધી ન હતી, તેમ જ પાણી પણ પીધું ન હતું. અને તેણે પાટીઓ ઉપર કરારના શબ્દો, એટલે દશ આજ્ઞાઓ, લખી.


શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા પિતાની પાસે માગું, તો તે હમણાં જ દૂતોની બાર ફોજ કરતાં વધારે મારી પાસે નહિ મોકલી દે?


ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને રાનમાં લઈ ગયો.


ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા, ને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં રાનમાં દોરવાયા.


અને ચાળીસ દિવસ ને ચાળીસ રાત વીત્યા પછી એમ થયું કે યહોવાએ મને બે શિલાપાટીઓ, એટલે કરારની પાટીઓ, આપી.


અને યહોવાની નજરમાં ભૂંડું કરવાથી જે પાપો કરીને તમે તેમને કોપાયમાન કર્યા હતા તે સર્વને લીધે હું યહોવાની સમક્ષ આગળની જેમ ચાળીસ રાત દિવસ [ઊંધો] પડી રહ્યો, અને મેં અન્‍ન ન ખાધું તેમજ પાણી પણ ન પીધું


એ માટે હું [અગાઉ] જેટલા દિવસ ઊંધો પડી રહ્યો હતો તેટલા [દિવસ, એટલે] ચાળીસ રાતદિવસ યહોવાની આગળ ઊંધો પડી રહ્યો; કેમ કે યહોવાએ મને કહ્યું હતું કે હું તેઓનો નાશ કરીશ.


બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.


કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા આવી શકે નહિ એવા નહિ, પણ સર્વ વાતે જે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખયાજક છે.


Lean sinn:

Sanasan


Sanasan