Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 8:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પછી ઈસુ તેને કહે છે, “જો જે, તું કોઈને કહીશ નહિ. પણ જા, પોતાને યાજકને બતાવ, ને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાએ ઠરાવ્યું હતું તે ચઢાવ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પછી ઈસુએ તેને કહ્યું, સાંભળ! કોઈને કહીશ નહિ, પણ પ્રથમ યજ્ઞકાર પાસે જા અને તેને તારી તપાસ કરવા દે. ત્યાર પછી મોશેએ ઠરાવેલો અર્પણવિધિ કર; જેથી બધાની સમક્ષ એ સાબિત થાય કે તું હવે શુદ્ધ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પછી ઈસુએ તેને કહ્યું કે, “જોજે, તું કોઈને કહીશ નહિ; પણ જા, યાજકને જઈને પોતાને બતાવ અને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાનાં ફરમાવ્યાં પ્રમાણે છે તે ચઢાવ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ઈસુએ તેને કહ્યું કે, “જે કાંઈ બન્યું છે તે વાત કોઈને પણ કરતો નહિ. અહીંથી સીધો જ યાજક પાસે જા અને ત્યાં તારી જાતને બતાવ. મૂસાના આદેશ પ્રમાણે અર્પણ ચઢાવ જેથી લોકો જાણી શકે કે તું સાજો થયો છે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 8:4
31 Iomraidhean Croise  

યહોવા પોતાના દઢ હેતુને લીધે, નિયમશાસ્ત્રનું મહાત્મ્ય વધારવા તથા તેને માનવંત કરવા રાજી થયા.


અને તે વસ્‍ત્રમાં, અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં, અથવા ચામડાની બનેલી કોઈપણ વસ્તુમાં તે રોગનો ચેપ લીલાશ કે રતાશવાળો હોય; તો તેને કોઢનો રોગ સમજવો, ને યાજકને તે બતાવવો.


અને તેઓને તથા વિધર્મીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો.


ત્યારે તેમણે શિષ્યોને આજ્ઞા આપી, “હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહિ”


અને તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને એવી આજ્ઞા કરી, “માણસનો દીકરો મૂએલાંમાંથી પાછો ઊઠે ત્યાં સુધી આ જે તમે જોયું તે કોઈને કહેતા ના.”


પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો, “હમણાં એમ થવા દે; કેમ કે સર્વ ન્યાયીપણું એમ પૂરું કરવું આપણ માટે ઘટિત છે.” ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા પામવા દીધું.


નિયમશાસ્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારો. હું નાશ કરવા તો નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું.


માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહિ તો આકાશમાંના તમારા પિતા પાસેથી તમને ફળ મળવાનું નથી.


અને તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી, “જોજો, કોઈ જાણે નહિ.”


પણ પોતાના વિષે સાવધાન રહો, કેમ કે તેઓ તમને ન્યાયસભાઓને સોંપશે, અને સભાસ્થાનોમાં તમે કોરડાના માર ખાશો. અને તમે મારે લીધે હાકેમો તથા રાજાઓની આગળ, તેઓને માટે સાક્ષી થવા માટે, ઊભા કરાશો.


અને તેમણે તેઓને બહુ ચેતવણી આપી, “મને પ્રગટ ન કરો.”


અને તેમણે તેઓને ચેતવણી આપી, “કોઈ એ ન જાણે”; અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી.


અને જ્યાં કહીં તેઓ તમારો આવકાર ન કરે, ને તમારું ન સાંભળે, ત્યાંથી નીકળતાં તેઓની વિરુદ્ધ સાક્ષી થવાને માટે તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખો.”


અને તેમણે તેઓને મનાઈ કરી, “તમારે તે કોઈને કહેવું નહિ.” પણ જેમ જેમ તેમણે વધારે મનાઈ કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.


અને તેમણે તેઓને તાકીદ કરી, “મારા વિષે તમારે કોઈને કહેવું નહિ.”


અને પહાડ પરથી તેઓ ઊતરતા હતા, ત્યારે તેમણે તેઓને ફરમાવ્યું, “તમે જે જોયું છે તે માણસનો દીકરો મૂએલાંઓમાંથી પાછો ન ઊઠે ત્યાં સુધી કોઈને કહેતા ના.”


તેઓને જોઈને તેમણે કહ્યું, “જાઓ, તમે તમારાં [શરીરને] યાજકોને બતાવો. તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા.”


એ તમારે માટે સાક્ષીરૂપ થઈ પડશે.


ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ પણ નીકળ્યા. તેઓ ઘાંટો પાડીને કહેતા હતા, “તમે ઈશ્વરના દીકરા છો.” તેમણે તેઓને ધમકાવ્યા, અને બોલવા દીધા નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે તો ખ્રિસ્ત છે.’


તેમણે તેને તાકીદ કરી, “તારે આ વિષે કોઈને કહેવું નહિ. પણ તું જઈને યાજકને [તારું શરીર] બતાવ, અને મૂસાના ફરમાવ્યા પ્રમાણે તારા શુદ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ ચઢાવ.”


તેનાં માબાપ તો આભાં જ થઈ ગયાં! પણ તેમણે તેઓને આજ્ઞા આપી, “જે થયું તે કોઈને કહેતા ના.”


પણ તેમણે તેઓને સખત આજ્ઞા કરી, “એ વાત કોઈને કહેતા ના, ”


હું માણસો તરફથી મહિમા લેતો નથી.


જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે. તે જ ખરો છે, અને તેનામાં કંઈ અન્યાય નથી.


પણ હું મારું પોતાનું માન શોધતો નથી શોધનાર તથા ન્યાય કરનાર એક છે.


Lean sinn:

Sanasan


Sanasan