Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 5:46 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શું ફળ છે? જકાતદારો પણ શું એમ નથી કરતા?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

46 જેઓ તમારા પર પ્રેમ કરે, તેમના પર જ તમે પ્રેમ કરો તેમાં ઈશ્વર તમને શો બદલો આપે? તેવું તો નાકાદારો પણ કરે છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

46 જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 5:46
19 Iomraidhean Croise  

માણસનો દીકરો ખાતોપીતો આવ્યો, તો તેઓ કહે છે, ‘જુઓ, ખાઉધરો ને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.’”


અને જો તે તેઓનું ન માને, તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશી તથા દાણીના જેવો ગણ.


અને જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તેમાં તમે વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા?


માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહિ તો આકાશમાંના તમારા પિતા પાસેથી તમને ફળ મળવાનું નથી.


અને એમ થયું કે તે તેના ઘરમાં જમવા બેઠા હતા, ને ઘણા દાણીઓ તથા પાપીઓ ઈસુ તથા તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણા હતા, ને તેમની પાછળ ચાલતા હતા.


અને શાસ્‍ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને દાણીઓની તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને કહ્યું, “તે તો દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે ને પીએ છે.”


હવે તેમનું સાંભળવા માટે બધા જકાતદારો તથા પાપીઓ તેમની પાસે આવતા હતા.


પણ જકાતદરે દૂર ઊભા રહીને પોતાની નજર આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતાં છાતી કૂટીને કહ્યું, ‘ઓ ઈશ્વર, હું પાપી છું, મારા પર દયા કરો.’


જાખ્ખી નામે એક પુરુષ હતો, તે મુખ્ય જકાતદાર હતો, અને‌ શ્રીમંત હતો.


તે જોઈને બધાએ કચકચ કરીને કહ્યું, “એક પાપી માણસને ત્યાં તે પરોણો રહેવા ગયો છે.”


દાણીઓ પણ બાપ્તિસ્મા પામવા માટે આવ્યા, ને તેને પૂછ્યું કે, “ઉપદેશક, અમારે શું કરવું?”


લેવીએ પોતાને ઘેર તેમને માટે મોટી મિજબાની કરી, અને જકાતદારો તથા બીજા ઘણા માણસો તેઓની સાથે જમવા બેઠા હતા.


ફરોશીઓએ તથા તેઓના શાસ્‍ત્રીઓએ તેમના શિષ્યોની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું, “તમે જકાતદારો તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?”


એ સાંભળીને સર્વ લોકો તથા જકાતદારો જેઓ યોહાનના બાપ્તિસ્માથી બાપ્તિસ્મા પામ્યા હતા, તેઓએ “ઈશ્વર સાચા છે” એમ કબૂલ કર્યું.


માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે અને તમે કહો છો કે, ‘જુઓ, ખાઉધરો ને દારૂબાજ માણસ, જકાતદારોનો તથા પાપીઓનો મિત્ર!’


Lean sinn:

Sanasan


Sanasan