Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 22:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ સંતાન વગર મરી જાય, તો તેનો ભાઈ તેની પત્નીને પરણીને પોતાના ભાઈને માટે વંશ ઉપજાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 તેમણે કહ્યું, ગુરુજી, મોશેએ શીખવ્યું છે કે જો કોઈ માણસ નિ:સંતાન મરી જાય, તો તે માણસના ભાઈએ પેલી વિધવા સાથે લગ્ન કરવું; જેથી મરી ગયેલા માણસનો વંશવેલો ચાલુ રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 “ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, ‘જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ માણસ નિ:સંતાન મરણ પામે તો તેના ભાઈએ તેની પત્ની સાથે પરણવું જોઈએ. જેથી તેઓ બાળકો મેળવી પોતાના ભાઈ માટે વંશ ઉપજાવે.

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 22:24
14 Iomraidhean Croise  

“ઉપદેશક, મૂસાએ અમારે માટે લખ્યું છે કે, ‘જો કોઈનો ભાઈ, પત્ની [જીવતી] છતા. નિ:સંતાન મરણ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને લઈને પોતાના ભાઈને માટે સંતાન ઉપજાવે.


“ઉપદેશક, મૂસાએ અમારે માટે લખ્યું કે, ‘જો કોઈનો ભાઈ નિ:સંતાન મરીને પત્નીને મૂકે, તો તેનો ભાઈ તેની પત્નીને લે, ને પોતાના ભાઈને માટે સંતાન ઉપજાવે.’


તમે મને ‘પ્રભુ, પ્રભુ, ‘કેમ કહો છો, અને હું જે કહું છું તે કરતા નથી?


“ઓ ઉપદેશક, નિયમશાસ્‍ત્રમાં સહુથી મોટી આજ્ઞા કયી છે?”


પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું સાચો છે, ને સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો.


જેઓ મને ‘પ્રભુ પ્રભુ’ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે [તેઓ જ પેસશે].


ત્યારે નાઓમીએ કહ્યું, “મારી પુત્રીઓ, પાછી વળો. તમે મારી સાથે કેમ આવવા માગો છો? શું હજી મને પુત્રો થવાના છે કે, તેઓ તમારા પતિ થાય?


અને યહૂદાએ પોતાની પુત્રવધૂ તામારને કહ્યું, “મારો દીકરો શેલા મોટો થાય, ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવાવસ્થામાં રહે.” કેમ કે તેણે કહ્યું, કદાચ તે પણ તેના ભાઈઓની પેઠે માર્યો જાય. અને તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી.


અને યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની પાસે જા, ને તેની પ્રત્યે ધણીના ભાઈની ફરજ અદા કર, ને તારા ભાઈને માટે સંતાન ઉપજાવ.”


આજની રાત થોભી જા, ને સવારમાં એમ થશે કે જો તે સગા તરીકે પોતાની ફરજ તારા પ્રત્યે અદા કરવા ઇચ્છતો હશે તો ઠીક, સગા તરીકેની પોતાની ફરજ બજાવવા ઇચ્છતો નહિ હોય, તો હું જીવતા યહોવાની પ્રતિજ્ઞા લઉં છું કે, તારા પ્રત્યે સગા તરીકેની ફરજ હું બજાવીશ; સવાર સુધી સૂઈ રહે.”


ત્યારે બોઆઝે કહ્યું, “તું નાઓમીની પાસેથી એ ખેતર ખરીદે, તે જ દિવસે તારે મરનારની વિધવા રૂથ મોઆબણની સાથે લગ્ન કરવું પડશે કે, મરનારના વતન ઉપર તેનું નામ કાયમ રહે.”


તો અમારામાં સાત ભાઈ હતા, ને પહેલો પરણીને મરી ગયો. અને તે સંતાન વગરનો હોઈને પોતાના ભાઈને માટે પોતાની પત્ની મૂકી ગયો.


તો પુનરુત્થાનમાં તે તેઓમાંથી કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી.”


Lean sinn:

Sanasan


Sanasan