Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 21:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું. ‘પ્રભુને તેઓનો ખપ છે, ’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેમને છોડીને મારી પાસે લાવો. જો કોઈ તમને પૂછે તો કહેજો, પ્રભુને તેમની જરૂર છે, અને તે તેમને તરત જ પાછાં મોકલી આપશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે,’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જો કોઈ તમને કઈ પૂછે તો એટલું જ કહેજો કે, ‘પ્રભુને તેની જરુંર છે. પછી એ તેને તરત જ મોકલી આપશે.’”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 21:3
18 Iomraidhean Croise  

“તું ઊઠ, ને સિદોનના સારફતમાં જઈને ત્યાં રહે; જો, મેં ત્યાંની એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે.”


ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યહોવાએ, યર્મિયાના મુખથી અપાયેલું યહોવાનું વચન પૂરું કરવા માટે, કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે, તેણે પોતાના આખા રાજ્યમાં લિખિત જાહેરાત કરી.


ત્યારે યરુશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાને જવા માટે જે કોઈના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી હતી તે સર્વ, યહૂદિયાના તથા બિન્યામીનના પિતૃઓના કુટુંબોના વડીલો, યાજકો અને લેવીઓ તત્પર થયા.


આપણા પૂર્વજોના ઈશ્વર યહોવાને ધન્ય હો કે જેમણે રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે યરુશાલેમમાં યહોવાનું જે મંદિર છે તેને સુશોભિત કરવું.


પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાનાં છે; જગત તથા તેમાં રહેનારાં [પણ તેમનાં છે].


કહ્યું, “તમે સામા ગામમાં જાઓ, ને તેમાં પેસતાં જ બાંધેલી એક ગધેડી તથા તેની સાથે બચ્‍ચું જોશો, તેઓને છોડીને મારી પાસે લાવો.


હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય,


કારણ કે તમે સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે કે, જેઓએ તમે તેને આપ્યાં છે તે સર્વને તે અનંતજીવન આપે.


પિતા દીકરા પર પ્રેમ કરે છે, અને તેમણે બધું તેમના હાથમાં સોપ્યું છે.


તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેમને કશાની ગરજ નથી. જીવન, ‍ શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે.


પણ ઈશ્વરની સ્તુતિ થાઓ કે, જેમણે તિતસના હ્રદયમાં તમારે માટે તેની કાળજી ઉત્પન્‍ન કરી.


કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયા, એ માટે કે તમે તેમની દરિદ્રતાથી ધનવાન થાઓ.


દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.


શાઉલ પણ પોતાને ઘેર ગિબયામાં ગયો; અને જે શૂરવીરોનાં મન પર ઈશ્વરે અસર કરી હતી તેઓ પણ તેની સાથે ગયા.


Lean sinn:

Sanasan


Sanasan