Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 19:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પણ ઈસુએ તેઓની સામું જોઈને તેઓને કહ્યું, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 ઈસુએ તેમની તરફ જોઈને કહ્યું, માણસોને માટે એ અશકય છે, પણ ઈશ્વરને તો સર્વ શકય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 ઈસુએ તેમને જોઈને કહ્યું, “લોકોને માટે આ અશક્ય છે. ફક્ત દેવને માટે બધું જ શક્ય છે.”

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 19:26
16 Iomraidhean Croise  

યહોવાને શું કંઇ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારાને દીકરો થશે.”


યહોવા પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા તે પ્રમાણે માટલીમાંનો મેંદો થઈ રહ્યો નહિ, ને કૂંડીમાંનું તેલ ખૂટી ગયું નહિ.


“હું જાણું છું કે તમે બધું કરી શકો છો, તને તમારી કોઈ યોજનાને અટકાવી શકાય નહિ.


યહોવાની પાસે તારણ છે; તમારા લોક પર તમારો આશીર્વાદ આવો. (સેલાહ)


ઈશ્વર એક વાર બોલ્યા છે, આ વાત મેં બે વાર સાંભળી છે, કે સામર્થ્ય ઈશ્વરનું જ છે;


“હે પ્રભુ યહોવા! તમે તમારા મહાન બળથી તથા તમારા લાંબા કરેલા ભુજથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે! તમને કંઈ અશક્ય નથી.


‘જો, હું યહોવા સર્વ મનુષ્યોનો ઈશ્વર છું; શું મને કોઈ પણ કામ અશક્ય છે?’


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, જો તે આ સમયના લોકોમાંના બાકી રહેલાઓને આશ્ચર્યકારક લાગે? એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “શું યહોવાનો હાથ ટૂંકો પડયો છે? મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહિ એ તું હવે જોઈશ.”


ત્યારે તેમના શિષ્યોને એ સાંભળીને ઘણી નવાઈ લાગી, ને કહ્યું, “તો કોણ તારણ પામી શકે?”


ત્યારે પિતરે તેમને કહ્યું, “જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?”


ઈસુ તેઓની તરફ જોઈને કહે છે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.”


કેમ કે ઈશ્વર પાસેથી [આવેલું] કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહિ થશે.”


પણ તેમણે કહ્યું, “માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.”


અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. કેમ કે તેઓ પોતામાં ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે, અને ખુલ્‍લી રીતે તેમનું અપમાન કરે છે.


યોનાથાને પોતાના શસ્‍ત્રવાહક જુવાનને કહ્યું, “ચાલ, આપણે આ બેસુન્‍નત લોકની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને સહાય કરશે; કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવાને યહોવાને કંઈ અડચણ નથી.”


Lean sinn:

Sanasan


Sanasan