Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




માથ્થી 1:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને યોશિયાનો દીકરો યખોન્યા અને તેના ભાઈઓ બાબિલના બંદીવાસ સમયે થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 યોશિયા યખોન્યા અને તેના ભાઈઓનો પિતા હતો; આ સમયે ઇઝરાયલ પ્રજાને ગુલામ તરીકે બેબિલોનમાં લઈ જવામાં આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો. (યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો.)

Faic an caibideil Dèan lethbhreac




માથ્થી 1:11
17 Iomraidhean Croise  

યહોઆહાઝે રાજ કરવા માંડ્યું, ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો. તણે યરુશાલેમમાં ત્રણ માસ રાજ કર્યું. તેની માનું નામ હમુટાલ હતું, તે લિબ્નાહના યર્મિયાની દીકરી હતી.


તે બધા યરુશાલેમવાસીઓને, બધા અમલદારોને તથા પરાક્રમી યોદ્ધાઓને, એટલે દશ હજાર બંદીવાનોને, તથા બધા કરીગરોને તથા કસબી લોકોને પકડી લઈ ગયો. સૌથી ગરીબ પંક્તિના લોક સિવાય દેશમાં કોઈ રહેવા પામ્યા નહિ.


બાકીના લોક જેઓને નગરમાં રહેવા દેવામાં આવ્યા હતા તેઓને, તથા જેઓ ફૂટી જઈને બાબિલના રાજાના પક્ષમાં જતા રહ્યા હતા તેઓને, તથા બાકીના સમુદાયને રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારદાન બંદીવાન કરીને લઈ ગયો.


નવું વર્ષ બેસતાં નબૂખાદનેસ્સાર રાજાએ પોતાના માણસો મારફતે તેને યહોવાના મંદિરનાં સુશોભિત પાત્રો સહિત બાબિલમાં પકડી મંગાવ્યો. અને તેના ભાઈ સિદકિયાને યહૂદિયાના તથા યરુશાલેમ ઉપર રાજા ઠરાવ્યો.


તરવારથી બચેલાંઓને તે બાબિલ લઈ ગયો; તેઓ ઇરાનના રાજ્યના અમલ સુધી નબૂખાદનેસ્સારના તથા તેના વંશજોનાં ગુલામ થયા.


આમોસના પુત્ર યશાયાને સંદર્શનમાં પ્રાપ્ત થઈ તે બાબિલ વિશેની ઈશ્વરવાણી.


ત્યારે જે સ્તંભ, સમુદ્ર, પાયા તથા જે પાત્રો તે લઈ ગયો નહિ, પણ જે આ નગરમાં હજુ રહેલાં છે, તેઓ વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે કે,


પછી નગરમાં જે લોકો રહ્યા હતા, ને જેઓ તેના પક્ષમાં ગયા હતા, તથા [એ સિવાય] જે લોકો બાકી રહ્યા હતા, તેઓને રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન બંદીવાન કરીને બાબિલ લઈ ગયો.


પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને, ઈશ્વરના મંદિરનાં કેટલાંક પાત્રોસહિત, તેના હાથમાં સોંપ્યો, અને બાબિલનો રાજા તેમને શિનાર દેશમાં પોતાના દેવના મંદિરમાં લઈ ગયો. તેણે તે પાત્રો પોતાના દેવના ભંડારમાં રાખ્યાં.


બાબિલનો બંદીવાસ થયા પછી યખોન્યાનો દીકરો શાલ્તીએલ થયો, અને શાલ્તીએલનો ઝરુબ્બાબેલ,


આમ, ઇબ્રાહિમથી દાઉદ સુધીની બધી મળીને ચૌદ પેઢી, દાઉદથી બાબિલના બંદીવાસ સુધીની ચૌદ પેઢી, અને બંદીવાસના સમયથી ખ્રિસ્ત સુધીની ચૌદ પેઢી થઈ.


Lean sinn:

Sanasan


Sanasan