Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 7:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 કેમ કે યોહાન બાપ્તિસ્ત રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 તે ઉપવાસ કરતો હતો અને દ્રાક્ષાસવ પીતો ન હતો, છતાં તમે કહ્યું, ‘તેને ભૂત વળગ્યું છે!’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો આવ્યો નથી; અને તમે કહો છો કે તેને દુષ્ટાત્મા વળગ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 યોહાન બાપ્તિસ્ત આવ્યો અને બીજા લોકોની જેમ રોટલી ખાધી નહિ કે દ્ધાક્ષારસ પીધો નહિ, અને તમે કહો છો કે, ‘તેનામાં ભૂત છે.’

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 7:33
12 Iomraidhean Croise  

ચેલો પોતાના ગુરુ સરખો હોય, ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે. જો ઘરના ઘણીને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે?


અને તે દિવસોમાં યોહાન બાપ્તિસ્ત પ્રગટ થયો, ને યહૂદિયાના રાનમાં ઉપદેશ કરવા લાગ્યો. તે એમ કહેતો,


અને તે યોહાનનાં લૂગડાં ઊંટનાં રૂઆંનાં હતાં, ને તેની કમરે ચામડાનો પટો હતો, ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો.


અને યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, ને તેની કમરે ચામડાનો પટો હતો. અને તે તીડો તથા રાની મધ ખાતો હતો.


કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે, ને દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહિ. તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર હશે.


તેઓ તો છોકરાંના જેવા છે કે, જેઓ ચૌટાઓમાં બેસીને એકબીજાને હાંક મારતાં કહે છે કે, ‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યાં નહિ; અમે વિલાપ કર્યો, પણ તમે રડ્યાં નહિ.’


માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે અને તમે કહો છો કે, ‘જુઓ, ખાઉધરો ને દારૂબાજ માણસ, જકાતદારોનો તથા પાપીઓનો મિત્ર!’


તેઓમાંના ઘણાએ કહ્યું, “તેને અશુદ્ધ આત્મા વળગેલો છે, અને તે પાગલ છે. તમે તેનું કેમ સાંભળો છો?”


યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો, “તું સમરૂની છે, અને તારામાં અશુદ્ધ આત્મા છે, એ અમારું કહેવું શું વાજબી નથી?”


યહૂદીઓએ તેમને કહ્યું, “તારામાં અશુદ્ધ આત્મા છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે. પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચન પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.


પણ બીજાઓએ ઠઠ્ઠામશ્કરી કરીને કહ્યું, “એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધેલો છે.”


Lean sinn:

Sanasan


Sanasan