Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 3:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને આન્‍નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા, તે વખતે ઝખાર્યાના દીકરા યોહાનની પાસે રાનમાં ઈશ્વરનું વચન આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 અને આન્‍નાસ તથા ક્યાફાસ પ્રમુખ યજ્ઞકારો હતા. ત્યારે ઝખાર્યાના પુત્ર યોહાન પાસે વેરાન પ્રદેશમાં ઈશ્વરનો સંદેશ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 આન્નાસ તથા કાયાફા પ્રમુખ યાજકો હતા ત્યારે ઝખાર્યાનાં દીકરા યોહાનની પાસે ઈશ્વરનું વચન અરણ્યમાં આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 3:2
21 Iomraidhean Croise  

સાંભળો, કોઈ એવું પોકારે છે, “જંગલમાં યહોવાનો માર્ગ તૈયાર કરો, અરણ્યમાં આપણા ઈશ્વરને માટે સડક સીધી કરો.


યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના સમયમાં, એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે, યહોવાનું વચન એની પાસે આવ્યું.


યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું,


ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બુઝીના પુત્ર હઝકિયેલ યાજક પાસે યહોવાનું વચન આવ્યું; ત્યાં પ્રભુનો હાથ તેના પર હતો.


યહોવાનું એવું વચન અમિત્તાયના દીકરા યૂના પાસે આવ્યું,


યહૂદિયાના રાજાઓ યોથમ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં યહોવાનું વચન મીખાહ મોરેશેથની પાસે આવ્યું, [અને] જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે.


યહૂદિયાના રાજાની, એટલે આમોનના દીકરા યોશિયાની કારકિર્દીમાં, હિઝકિયાના દીકરા અમાર્યાના દીકરા ગદાલ્યાના દીકરા કૂશીના દીકરા સફાન્યાને યહોવાનું વચન આ પ્રમાણે પ્રાપ્ત થયું.


અને તેઓ પાછા જતા હતા ત્યારે-ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા, “તમે રાનમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુને?


ત્યારે મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠા થયા.


યશાયા પ્રબોધક [ના પુસ્તક] માં લખેલું છે તેમ થયો કે, “ જો હું તારી આગળ મારા દૂતને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.


છોકરો મોટો થયો, અને આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના પ્રગટ થવાના દિવસ સુધી તે રાનમાં રહ્યો.


તેણે કહ્યું, “યશાયા પ્રબોધકે જે કહ્યું, ‘પ્રભુનો માર્ગ સીધો કરો, ’ તે પ્રમાણે અરણ્યમાં પોકારનારની વાણી હું છું”


ત્યારે આન્‍નાસે તેમને બાંધીને પ્રમુખ યાજક કાયાફાની પાસે મોકલ્યા.


તથા આન્‍નાસ પ્રમુખ યાજક, કાયાફાસ, યોહાન, એલેકઝાન્ડર તથા પ્રમુખ યાજકના સર્વ સગા યરુશાલેમમાં એકત્ર થયા.


Lean sinn:

Sanasan


Sanasan