Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લૂકની લખેલી સુવાર્તા 12:58 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

58 તું તારા વાદીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તેનાથી છૂટકો પામવા માટે યત્ન કર; રખેને તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

58 જો કોઈ માણસ તમારી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરે અને તમને કોર્ટમાં લઈ જાય, તો તમે હજુ રસ્તામાં હો, ત્યાં સુધીમાં તેની સાથે સમાધાન કરી નાખવા માટે બનતું બધું કરો. કદાચ, તે તમને ન્યાયાધીશ પાસે ખેંચી જાય, ન્યાયાધીશ તમને પોલીસને સોંપે અને પોલીસ તમને જેલમાં પૂરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

58 તું તારા વિરોધીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તું તેની સાથે સમાધાન કરવા સારુ યત્ન કર, એમ ન થાય કે તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

58 જ્યારે તારા વિરોધી સાથે ફરિયાદ નોંધાવવા માટે ન્યાયાલયમાં જતો હોય તો રસ્તામાં જ તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર. જો તું તેનો ઉકેલ નહિ લાવે તો તે તને ન્યાયાધીશ આગળ ઘસડી જશે. રખે ન્યાયાધીશ તને અધિકારીને સોંપે. અને તે તને બંદીખાનામાં નાખે.

Faic an caibideil Dèan lethbhreac




લૂકની લખેલી સુવાર્તા 12:58
20 Iomraidhean Croise  

હવે તેમની ઓળખાણ કર, અને શાંતિમાં રહે; તેથી તારું ભલું થશે.


ત્યાં પ્રામાણિક માણસ તેમની સાથે વાદવિવાદ કરી શકે છે. તેથી હું હમેશને માટે મારા ન્યાયાધીશથી છૂટી જાત.


તે માટે તમે મળો એવે સમયે દરેક ભક્ત તમારી પ્રાર્થના કરે; સાચે જ ઘણાં પાણીની રેલ ચઢે ત્યારે તે તેને પહોંચશે નહિ.


હે ઈશ્વરને વીસરનારા, હવે આનો વિચાર કરો, રખેને હું તમારા ફાડીને ટુકડેટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહિ;


યહોવા મળે છે એટલામાં તેમને શોધો, તે પાસે છે એટલામાં તેમને હાંક મારો.


અને તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું વાળે ત્યાં સુધી તેણે તેને કેદખાનામાં નાખ્યો.


કેમ કે તે કહે છે, “મેં માન્યકાળે તારું સાંભળ્યું, અને તારણને દિવસે મેં તને સહાય કરી: જુઓ, હમણાં જ માન્યકાળ છે. જુઓ, હમણાં જ તારણનો દિવસ છે.”


તે [આત્મા] માં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો.


મારું મરણ થયા પછી આ વાતોનું સ્મરણ તમને નિત્ય થાય એવો હું યત્ન કરીશ.


વહાલાઓ, હું આપણા સામાન્ય તારણ વિષે તમારા પર લખવાને ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર આપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ.


જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંદીખાનામાંથી છોડવામાં આવશે,


Lean sinn:

Sanasan


Sanasan