Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 9:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને મૂસાએ હારુનને કહ્યું, “વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ, ને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર. જેમ યહોવાએ આજ્ઞા આપી તેમ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ત્યાર પછી તેણે આરોનને કહ્યું, “યજ્ઞવેદી પાસે જા અને તારા તથા લોકોનાં પાપને માટે પ્રભુને પ્રાયશ્ર્વિત બલિ અને દહનબલિ ચડાવ અને લોકોનાં પાપના નિવારણ માટે પ્રભુની આજ્ઞા પ્રમાણે આ યજ્ઞ કર.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મૂસાએ હારુનને કહ્યું, “વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ અને તારે પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત કર અને લોકોનું અર્પણ ચઢાવ અને તેઓને માટે પ્રાયશ્ચિત કર. જેમ યહોવાહે આજ્ઞા આપી તેમ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી મૂસાએ હારુનને કહ્યુ, “તું અગ્નિની વેદી પાસે આવ અને તારા પાપાર્થાર્પણ, દહનાર્પણ અને દોષાર્થાર્પણ ચઢાવ અને તારે પોતાને માંટે અને બધા લોકોને માંટે પ્રાયશ્ચિત કર. ત્યાર પછી લોકોએ ધાર્મિક વિધિ કરી કરેલા અર્પણો ચઢાવ અને યહોવાના આદેશ પ્રમાંણે તેમને શુદ્ધ કર.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 9:7
12 Iomraidhean Croise  

અને પાપાર્થાર્પણનો બળદ પોતાને માટે હોય તેને હારુન રજૂ કરે, ને પોતાને માટે તથા પોતના ઘરનાંને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને પાપાર્થાર્પણનો જે બળદ પોતાને માટે હોય તેને તે કાપે.


અને પવિત્ર જગામાં પાણીથી સ્નાન કરીને તે પોતાના વસ્‍ત્ર પહેરે, ને બહાર આવીને પોતાનું દહનીયાર્પણ તથા લોકો દહનીયાર્પણ ચઢાવીને પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત્ત કરે.


અને પોતાને માટે પાપાર્થાર્પણનો જે બળદ હોય તેને હારુન રજૂ કરે, ને પોતાને માટે તથા પોતાના ઘરનાંને માટે પ્રાયશ્ચિત્ત કરે.


જો અભિષિક્ત યાજક પાપ કરીને લોકો પર દોષ લાવે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે તે યહોવા પ્રત્યે એક ખોડખાંપણ વગરનો જુવાન વાછરડો ચઢાવે.


તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે, જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાએ આજ્ઞા કરી છે.


અને તેણે હારુનને કહ્યું, પાપાર્થાર્પણને માટે ખોડખાંપણ વગરનો એક વાછરડો તથા દહનીયાર્પણને માટે એલ ઘેટો લઈને યહોવાની સમક્ષ તેઓને ચઢાવ.


કેમ કે દરેક પ્રમુખયાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને માટે નીમેલો છે, જેથી તે પાપોને માટે અર્પણો તથા બલિદાનો આપે.


તે કારણને લીધે તેણે જેમ લોકોને સારું તેમ પોતાને સારુ પણ પાપોને માટે અર્પણ કરવું જોઈએ.


પણ બીજા [ભાગ] માં વર્ષમાં એક જ વાર એકલો પ્રમુખયાજક જાય છે, પણ તે રક્ત વગર નહિ, એટલે જે રક્ત તે પોતાને માટે તથા લોકોના અજ્ઞાનતા [માં કરેલા] અપરાધને માટે અર્પણ કરે છે તે.


એ કારણથી એલીના કુટુંબ વિષે મેં પ્રતિજ્ઞા લીધી છે કે, યજ્ઞથી કે અર્પણથી એલીના કુટુંબની દુષ્ટતાનું પ્રાયશ્ચિત કદી પણ થશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan