Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 8:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને તમારે સાત દિવસ સુધી રાતદિવસ મુલાકાતમંડપના દ્વાર પાસે રહીને યહોવાનું ફરમાન પાળવું, એ માટે કે તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 તમારે સાત દિવસ અને સાત રાત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે રહેવાનું છે અને પ્રભુને આજ્ઞાધીન થવાનું છે, જો તમે તેમ નહિ કરો તો તમે માર્યા જશો. પ્રભુ તરફથી મને એવી આજ્ઞા મળેલી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 તમારે સાત દિવસ સુધી રાતદિવસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહની આજ્ઞા પાળવી, જેથી તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 તમાંરે સાત દિવસ અને સાત રાત સુધી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાની આજ્ઞાનું પાલન કરતા રહેવાનું છે. અને ચેતવણી આપતાં કહ્યું, “જો તમે તેના આદેશ નહિ માંનો તો તમે મૃત્યુ પામશો. આ યહોવાની આજ્ઞા છે.”

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 8:35
24 Iomraidhean Croise  

જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તેમ તારા ઈશ્વર યહોવાના માર્ગમાં ચાલીને, તથા તેમના વિધિઓ, તેમની આજ્ઞાઓ, તેમના હુકમો, તથા તેમના સાક્ષ્યો પાળીને તેમના ફરમાનનો અમલ કર; એ માટે કે જે જે તું કરે તેમાં, તથા જ્યાં કહીં તું જાય ત્યાં તું ફતેહ પામે.


અને હારુનને તથા તેના દીકરાઓને, મેં જે સર્વ આજ્ઞાઓ તને આપી છે, તે પ્રમાણે તું કર. સાત દિવસ સુધી તું તેમને પ્રતિષ્ઠિત કર.


સાત દિવસ સુધી દરરોજ પાપાર્થાર્પણને માટે એક બકરો તારે તૈયાર કરવો; વળી ખોડખાંપણ વગરનો એક જુવાન ગોધો તથા ટોળામાંનો એક મેંઢો તૈયાર કરવામાં આવે.


એ તો સાદોકના પુત્રોમાંના પવિત્ર થયેલા યાજકો કે જેઓ મારી દીક્ષા પાળતા આવ્યા છે, ને જેઓ ઇઝરાયલી લોકો ભટકી ગયા ત્યારે જેમ લેવીઓ ભટકી ગયા તેમ ભટકી ન ગયા, તેઓને માટે થાય.


અને હારુનના પુત્રો નાદાબ તથા અબિહૂએ પોતપોતાનું ધૂપપાત્ર લઈને, ને તેમાં અગ્નિ મૂકીને, ને તે પર ધૂપ નાખીને યહોવાની સમક્ષ પારકો, એટલે જે વિષે યહોવાએ તેઓને આજ્ઞા કરી ન હતી, એવો અગ્નિ ચઢાવ્યો.


અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય, તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પોતાના સર્વ વાળ મૂંડાવે, ને પાણીમાં સ્‍નાન કરે, એટલે તે શુદ્ધ થશે, અને ત્યાર પછી તે છાવણીમાં આવે, પણ તે સાત દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે.


અને મૂસાએ અભિષેકના તેલમાંથી, તથા વેદી ઉપરના રક્તમાંથી લઈને હારુન પર, તથા તેનાં વસ્‍ત્રો પર, તથા તેના પુત્ર પર, તથા તેની સાથે તેના પુત્રોનાં વસ્‍ત્રો પર છાંટયું, અને હારુનને તથા તેનાં વસ્‍ત્રોને, તથા તેના પુત્રોને તથા તેની સાથે તેના પુત્રોનાં વસ્‍ત્રોને પાવન કર્યાં.


તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે, જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાએ આજ્ઞા કરી છે.


અને યહોવાએ મૂસાની હસ્તક ફરમાવેલી સર્વ ક્રિયાઓ હારુને તથા તેના પુત્રોએ કરી.


તે [શુદ્ધિના પાણી] થી તે ત્રીજે દિવસે પોતાનું શુદ્ધિકરણ કરે, ને સાતમે દિવસે તે શુદ્ધ થશે. અને જો ત્રીજે દિવસે તે પોતાનું શુદ્ધિકરણ ન કરે, તો સામે દિવસે તે શુદ્ધ થશે નહિ.


અને તેઓ તેની તથા મુલાકાતમંડપની આગળ સમગ્ર પ્રજાની સંભાળ રાખતાં મંડપની સેવા કરે.


અને જ્યારે મેઘ ઘણા દિવસ સુધી મંડપ પર ઠરી રહેતો, ત્યારે ઇઝરાયલી લોકો યહોવાએ સોંપેલી સેવા કરતા, ને આગળ ચાલતા નહિ.


તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.


એ માટે તું યહોવા તારા ઈશ્વર પર પ્રેમ રાખ, ને તેમનું ફરમાન તથા તેમના વિધિઓ તથા તેમના હુકમો તથા તેમની આજ્ઞાઓ સર્વદા પાળ.


દીકરા તિમોથી, તારે વિષે અગાઉ થયેલા ભવિષ્યકથન પ્રમાણે, હું તને આ [ખાસ] આજ્ઞા આપું છું કે, તે ભવિષ્યકથનો [ની સહાય] થી તું સારી લડાઈ લડે;


ઈશ્વર તથા ખ્રિસ્ત ઈસુ તથા પસંદ કરેલા દૂતોની સમક્ષ હું તને આજ્ઞા કરું છું. કે, મારુંતારું ન કરતાં નિષ્પક્ષપાતપણે આ આજ્ઞાઓનો અમલ કરજે.


જે ઈશ્વર સર્વને સજીવન કરે છે તેમની આગળ તથા ઈસુ ખ્રિસ્ત, જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની સમક્ષ હું તને આગ્રહપૂર્વક ફરમાવું છું કે,


આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે, તેઓ અહંકાર ન કરે, અને દ્રવ્યની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા ઉપભોગને માટે ઉદારતાથી સર્વ આપે છે તેમના પર આશા રાખે.


હે તિમોથી, જે [સત્ય] તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદવિવાદથી દૂર રહે.


માટે ઈશ્વરની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ, ને તેમના પ્રગટ થવાની તથા રાજ્યની [આણ દઈને] હું તને આગ્રહપૂર્વક કહું છું કે,


કેમ કે નિયમશાસ્‍ત્ર નિર્બળ માણસોને પ્રમુખયાજકો ઠરાવે છે. પણ નિયમશાસ્‍ત્ર પછીના સમનુમ વચન તો સદાકાળ સંપૂર્ણ કરેલા પુત્રને [પ્રમુખયાજક] ઠરાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan