Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 7:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને યાજક વેદી પર ચરબીનું દહન કરે, પણ છાતી હારુન તથા તેના પુત્રો લે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 યજ્ઞકાર યજ્ઞવેદી પર ચરબીનું દહન કરે પણ છાતીનો ભાગ આરોનવંશી યજ્ઞકારને મળે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 યાજકે ચરબીનું વેદીમાં દહન કરવું, પણ છાતીનો ભાગ હારુન તથા તેના વંશજોનો થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 યાજકે ચરબી વેદીમાં હોમી દેવી, પણ છાતીનો ભાગ હારુનના વંશના યાજકોનો થાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 7:31
13 Iomraidhean Croise  

અને હારુનની પ્રતિષ્ઠાના ઘેટાની છાતી લઈને તું યહોવાની આગળ આરત્યર્પણને માટે આરતી કર; અને તે તારો હિસ્‍સો થાય.


અને યાજક વેદી પર તેનું દહન કરે. તે યહોવાને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે.


અને યાજક વેદી પર તેમનું દહન કરે; તે સુવાસને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે; બધી ચરબી યહોવાની છે.


અને હારુનના પુત્રો વેદી પરના અગ્નિ પરનાં લાકડાં ઉપરના દહનીયાર્પણ પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.


અને આ કૃત્યોમાંના જે કોઈ વિષે તેણે પાપ કર્યું હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે. અને ખાદ્યાર્પણની પેઠે [બાકીનું] યાજકનું થાય.”


અને તેમાંથી જે બાકી રહે તે હારુન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગામાં ખમીર વગર ખાવું, મુલાકાતમંડપના આંગણામાં તેઓ તે ખાય.


જે યાજક તે વડે પાપાર્થાર્પણ કરે, તે તે ખાય; પવિત્ર જગામાં, એટલે મુલાકાતમંડપના આંગણામાં તે ખાવામાં આવે.


કેમ કે આરતિક્ત છાતી તથા ઉચ્છાલિત બાવડું ઇઝરાયલી લોકો પાસેથી તેઓનાં શાંત્યર્પણોના યજ્ઞમાંથી મેં લીધાં છે, ને મેં તે હારુન યાજકને તથા તેના પુત્રોને ઇઝરાયલી લોકો તરફથી તેઓના હમેશના દાપા તરીકે આપ્યાં છે.”


અને મૂસાએ છાતી લઈને યહોવાની સમક્ષ તેની આરતી ઉતારીને આરત્યર્પણ કર્યું; એ તો પ્રતિષ્ઠાના ઘેટામાંથી મૂસાનો હિસ્‍સો હતો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


અને આ તારાં છે; એટલે તેઓના દાનનું ઉચ્છાલીયાર્પણ ઇઝરાયલીઓનાં સર્વ આરત્યર્પણો સહિત, તે મેં તને, તથા તારી સાથે તારા દિકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યાં છે. તારા ઘરમાં જે કોઈ શુદ્ધ હોય તે તે ખાય.


અને તેઓનું માંસ તારું થાય, આરતીની છાતીની પેઠે તથા જમણા બાવડાની પેઠે તે તારું થાય.


જેઓ મંદિરમાં સેવાનું કામ કરે છે તેઓ મંદિરમાંનું ખાય છે, અને જેઓ વેદીની સેવા કરે છે તેઓ વેદીના ભાગીદાર છે, એ શું તમે નથી જાણતા?


અને લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનારા તરફથી યાજકોને આ દાપું મળે કે, તેઓ યાજકને બાવડું તથા બન્‍ને ગલોફાં તથા હોજરી આપે.


Lean sinn:

Sanasan


Sanasan