Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 7:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને તમે કોઈ પણ પ્રકારનું રક્ત, પછી તે પક્ષીનું હોય કે પશુનું હોય, તે તમારા કોઈ પણ રહેઠાણમાં ન ખાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 હે ઇઝરાયલીઓ, તમે ગમે ત્યાં વસતા હો પણ તમારે કોઈ પ્રાણી કે પક્ષીનું રક્ત ખાવાનું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તમે કોઈપણ પ્રકારનું રક્ત, પછી તે પક્ષીનું હોય કે પશુનું હોય, તે તમારા કોઈપણ ઘરોમાં ન ખાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 “તમે ગમે ત્યાં રહેતા હોય, પણ તમાંરે પશુનું કે પંખીનું લોહી ખાવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 7:26
17 Iomraidhean Croise  

પણ માંસ તેના જીવ સુદ્ધાં, એટલે રક્ત સુદ્ધાં, ન ખાશો.


તારા બળદ તથા તારાં ઘેટાં વિષે પણ તું એમ જ કર. સાત દિવસ તે પોતાની માતાની સાથે રહે, આઠમે દિવસે તે તું મને આપ.


એ માટે તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તમે [માંસ] રક્તસહિત ખાઓ છો, ને તમારી મૂર્તિઓ તરફ તમારી નજર ઊચી કરો છો, ને રક્ત વહેવડાઓ છો, તેમ છતાં શું તમે દેશનું વતન ભોગવશો?


તમે કોઇ પણ વસ્‍તુ તેના રક્ત સહિત ન ખાઓ, અને તમે મંત્ર ન વાપરો, તેમ જ શુકનનો ઉપચાર પણ ન કરો.


તમારી વંશપરંપરા તમારાં વિધિ થાય, એટલે કે ચરબી કે રક્ત તમારે ખાવું જ નહિ.”


કેમ કે માણસો યહોવા પ્રત્યે જે પશુનો હોમયજ્ઞ ચઢાવે છે તેની‍ ચરબી જે કોઈ ખાય, તે ખાનાર માણસ પોતાના લોકો મધ્યે પણ અગલ કરાય.


જે માણસ કંઇ પણ રક્ત ખાય તે માણસ પોતાના લોકો મધ્યેથી અગલ કરાય.”


ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી.


પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારીથી, ગૂંગળાવીને મારેલાંથી તથા લોહીથી દૂર રહેવું.


એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, તથા ગૂંગળાવીને મારેલાંથી તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું. જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે. તમને કુશળતા થાઓ.”


એમનામાં, એમના લોહીદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.


કેવળ તમારે રક્ત ખાવું નહિ. તે તારે પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.


ફક્ત એટલું સંભાળજે કે તેનું રક્ત તારા ખાવામાં ન આવે, કેમ કે રક્ત એ તો જીવ છે, અને માંસ સાથે તેનો જીવ તારે ખાવો નહિ.


ફકત તું તેનું રક્ત ન ખા; તે તું પાણીની જેમ જમીન પર ઢોળી દે.


કેમ કે જો આભારસ્તુતિની સાથે તેનો ઉપયોગ થાય તો ઈશ્વરનું સર્વ ઉત્પન્‍ન કરેલું સારું છે, કંઈ નાખી દેવાનું નથી.


Lean sinn:

Sanasan


Sanasan