Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 7:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને શાંત્યર્પણોનો યજ્ઞ યહોવા પ્રત્યે કોઈ ચઢાવે, તો તેનો નિયમ આ છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 “પ્રભુને અર્પણ કરવામાં આવતા સંગતબલિના નિયમો આ પ્રમાણે છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ શાંત્યર્પણોના યજ્ઞો યહોવાહ પ્રત્યે જે લોકો ચઢાવે, તેનો નિયમ આ પ્રમાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “યહોવાને ચઢાવવામાં આવતા શાંત્યર્પણો યજ્ઞો માંટે આ પ્રમાંણેના નિયમ છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 7:11
12 Iomraidhean Croise  

તે સમયે હિઝકિયાએ લોકોને સંબોધીને કહ્યું, “હવે તમે યહોવાને પોતાનું સ્વાર્પણ કર્યું છે, માટે પાસે આવીને યહોવાના મંદિરમાં યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવો. ત્યારે સમગ્ર પ્રજા યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવી. અને જેઓનાં મનમાં આવ્યું તેઓ રાજીખુશીથી દહનીયાર્પણો [લાવ્યા].


તેણે યહોવાની વેદીને સમારીને તેના પર શાંત્યર્પણોના તથા આભાર માનવાને કરેલા અર્પણના યજ્ઞો કર્યા, ને યહૂદિયાને ઇઝરાયલના ઈશ્વર યહોવાની સેવા કરવાની આજ્ઞા આપી.


‘શાંત્યપર્ણો મારી પાસે [તૈયાર કરેલાં] છે; આજ મેં મારી માનતાઓ પૂરી કરી છે.


ઇઝરાયલના રસાળ ગોચરણમાંનાં દર બસો ઘેટાંમાંથી એક હલવાન, લોકોને માટે પ્રાયશ્ચિત કરવા સારું ખાદ્યાર્પણને માટે, દહનિયાર્પણને માટે તથા શાંત્યર્પણોને માટે [આપવું] , એમ પ્રભુ યહોવા કહે છે.


જે દિવસે તમે તે ચઢાવો તે જ દિવસે, તથા તેને બીજે દિવસે તે ખાવું; અને જો ત્રીજા દિવસ સુધી કંઇ બાકી રહે, તો તેને આગમાં બાળી નાખવું.


અને જ્યારે તમે આભારાર્પણનો યજ્ઞ યહોવાને ચઢાવો, ત્યારે તે એવી રીતે ચઢાવો કે તમે માન્ય થાઓ.


અને સર્વ તેલવાળું કે કોરું ખાદ્યાર્પણ હારુનના સર્વ પુત્રો લે, દરેક સરખે ભાગે તે લે.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, જે કોઈ પોતનાં શાંત્યર્પણોનો યજ્ઞ યહોવા પ્રત્યે ચઢાવે, તે પોતાનાં શાંત્યર્પણોના યજ્ઞમાંથી યહોવા પાસે અર્પણ લાવે;


જો કે તમે તમારાં દહનીયાર્પણો તથા ખદ્યાર્પણો ચઢાવવા માંડશો, તોપણ હું તેમને સ્વીકારીશ નહિ; અને તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યાર્પણોને પણ હું ગણકારીશ નહિ.


અને શાંત્યર્પણોના ય ને માટે બે ગોધા, પાંચ હલવાન:સુઆરના દિકરા નથાનિયેલનું અર્પણ એ હતું.


Lean sinn:

Sanasan


Sanasan