Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 5:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અથવા જો કોઈ માણસ ભૂંડું કરવાના કે ભલું કરવાના સોગન પોતના હોઠોથી વગર વિચારે ખાય કે, વગર વિચારે સોગન ખાઈને ગમે તે કહે, ને જો તે તેના જાણવામાં આવ્યું ન હોય, તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યાએ તે તેઓમાંથી એક વિષે દોષિત ઠરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 “જો કોઈ માણસ ખરી કે ખોટી કોઈપણ બાબત વિષે વગર વિચાર્યે સોગંદ ખાય તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અથવા જો કોઈ માણસ દુષ્ટતા કરવાના અથવા સારું કરવાના સોગન પોતાના હોઠોથી વગર વિચારે ખાઈને ગમે તેમ તે કહે અને જો તે તેના જાણવામાં આવ્યું ન હોય, તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે તેઓમાંથી એક વિષે દોષિત ઠરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “જો કોઈ માંણસ ઉતાવળમાં સમ ખાય અને તેને પાળવાનું ભૂલી જાય અને મોડેથી તેની જાણ થાય, તો તે દોષિત ગણાય;

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 5:4
25 Iomraidhean Croise  

પણ તેઓની વચ્ચે એટલે દાઉદના તથા શાઉલના દિકરા યોનાથાન વચ્ચે યહોવાના જે સમ હતા, તેને લીધે રાજાએ શાઉલના દિકરા યોનાથાનના દિકરા મફીબોશેથને બચાવ્યો.


પછી તેણે કહ્યું, “જો શાફાટના દીકરા એલિશાનું માથું તેના [ધડ] પર આજે રહે, તો યહોવા મને એવું ને એ કરતાં પણ વધારે વિતાડો.”


જેથી તેઓને ખાતર મૂસાએ પણ ભૂલ કરી, અને તે પોતાને મુખે અવિચારથી બોલ્યો.


અને આ કૃત્યોમાંના જે કોઈ વિષે તેણે પાપ કર્યું હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે. અને ખાદ્યાર્પણની પેઠે [બાકીનું] યાજકનું થાય.”


અથવા કોઇપણ અશુદ્ધતાથી કોઈ માણસ શુદ્ધ થયો હોય, તેની અશુદ્ધતાનો જો કોઈ સ્પર્શ કરે ને તે તેના જાણવામાં આવ્યું ન હોય, તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે દોષિત ગણાય;


અને જો તેની માનતા, અથવા જે અવિચારી શબ્દો તેણે પોતાના હોઠોથી બોલીને તેઓ વડે પોતાના જીવને બાંધ્યો હોય, [તે બંધન] તેને શિર હોય તેવા તે પરણી જાય,


પણ તેનો પતિ સાંભળે તે દિવસે જો તે તેને મના કરે, તો જે માનતા તેને શિર હોય, ને પોતાના હોઠોના જે અવિચારી શબ્દોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય, તે તે રદ કરે; અને યહોવા તેને ક્ષમા કરશે.


ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું, “જે કંઈ તું માંગે તે હું તને આપીશ.”


અને રાજા દુ:ખી થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે ખાવા બેઠેલાઓને લીધે તેણે તે આપવાનો હુકમ કર્યો.


અને તેણે સમ ખાઈને તેને કહ્યું, “જે કંઈ તું મારી પાસે માગે તે મારા અર્ધા રાજ્ય સુધી હું તને આપીશ.”


દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સમ ખાઈને પ્રતિજ્ઞા લીધી, “પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી આપણે અન્‍નજળ લેવું નહિ.”


અને તે માણસોએ તેને કહ્યું, “જો તમે અમારી આ વાત નહિ કહી દો તો તમારા જીવને બદલે અમારા જીવ જાઓ. અને યહોવા આ દેશ અમને આપશે ત્યારે એમ થશે કે અમે તારી પ્રત્યે દયાથી અને સત્યતાથી વર્તીશું.”


અને તેઓને જીવતા રહેવા દેવા માટે યહોશુઆએ તેઓની સાથે સલાહ કરી, ને તેઓની સાથે કરાર કર્યો. અને લોકોના સમુદાયના આગેવાનોએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી.


તો હું સલાહ કરીને આમ્મોનપુત્રો પાસેથી શાંતિએ પાછો આવું ત્યારે એમ થશે કે મને મળવા માટે જે કોઈ મારા ઘરના બારણામાંથી બહાર નીકળે તે યહોવાનું થાય અને હું તેનું દહનીયાર્પણ કરીશ.”


તથાપિ આપણે તો આપણી કન્યાઓન તેઓને આપી શક્તા નથી.” કેમ કે ઇઝરાયલી લોકોએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘જે કોઈ બિન્યામીનને કન્યા આપે તે શાપિત થાય.’


જેઓ બચ્યા છે તેમને પરણાવવા માટે આપણે શું કરીશું? કેમ કે આપણે તો આપણી દીકરીઓ તેમને નહિ પરણાવવાની યહોવાની સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે.”


ત્યારે જો આજે તમે યરુબાલની તથા તેના ઘરનાંની સાથે વાસ્તવિક રીતે તથા પ્રામાણિકપણે વર્ત્યા હો, તો તમે અબીમેલેખને વિષે આનંદ કરો, ને તે પણ તમારે વિષે આનંદ કરે.


તેણે માનતા માનીને કહ્યું, “હે સૈન્યોના ઈશ્વર યહોવા, જો તમે આ તમારી દાસીના દુ:ખ સામું નક્‍કી જોશો, મને સંભારશો, ને તમારી દાસીને વીસરશો નહિ, પણ તમારી દાસીને દીકરો આપશો, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ, ને તેના માથા પર અસ્‍ત્રો કદી ફરશે નહિ.”


એ તેનું છે તે સર્વમાંથી સવાર થતાં સુધીમાં એક નર બાળક સરખુંય હું જીવતું રહેવા દઉં તો ઈશ્વર દાઉદના શત્રુઓને એવું ને એથી પણ વધારે દુ:ખ પાડો.”


Lean sinn:

Sanasan


Sanasan