Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 3:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યાજક વેદી પર તેમનું દહન કરે; તે સુવાસને માટે હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે; બધી ચરબી યહોવાની છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 યજ્ઞકારે પ્રભુને અગ્નિબલિ તરીકે આ બધાનું વેદી પર દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે. બધી જ ચરબી પ્રભુની ગણવાની છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આ તમામનું યાજકે શાંત્યર્પણ તરીકે દહન કરવું, તે સુવાસને સારુ હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે. સઘળી ચરબી યહોવાહની છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 આ તમાંમ યાજકે શાંત્યર્પણ તરીકે હોમી દેવું. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 3:16
19 Iomraidhean Croise  

અને હાબેલ પણ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પહેલા જન્મેલાં તથા પુષ્ટ લાવ્યો. અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્‍ય કર્યા.


વળી દહનીયાર્પણો તથા દરેક દહનીયાર્પણને માટે શાંત્યર્પણોનો મેદ તથા પેયાર્પણો પણ પુષ્કળ હતાં. એ પ્રમાણે યહોવાના મંદિરની સેવા કરવાની વ્યવસ્થા કરવામાં આવી.


વળી સુલેમાને યહોવાના મંદિરની આગળના ચોકના મધ્ય ભાગને પવિત્ર કર્યો; કેમ કે ત્યાં તેણે દહનીયાર્પણો તથા શાંત્યર્પણોનો મેદ ચઢાવ્યાં; કેમ કે જે પિત્તળની વેદી સુલેમાને બનાવી હતી તેમાં દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ તથા તેઓનો મેદ સમાઈ શકે એમ નહોતું.


અને તું આંતરડાં પરની ચરબી તથા કલેજા પરનું અંતરપડ તથા બે ગુરદા તથા તેઓ પરની ચરબી લઈને તેમનું વેદી પર દહન કર.


વળી તું ઘેટાની ચરબી તથા પૂછડી તથા આંતરડાં પરની ચરબી તથા કલેજા પરનું અંતરપડ તથા બે ગુરદા તથા તેમના પરની ચરબી તથા જમણો ખભો લે; કેમ કે તે પ્રતિષ્ઠાનો ઘેટો છે.


તોપણ યહોવાની મરજી તેને કચરવાની હતી; તેણે તેને દુ:ખી કર્યો; તેના આત્માનું દોષાર્થાપર્ણ થશે ત્યારે તે પોતાનાં સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે, ને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે.


‘પણ સાદોકના પુત્રો, એટલે લેવી યાજકો કે, જેઓએ, ઇઝરાયલિ લોકો માટી પાસેથી ભટકી ગયા ત્યારે, પવિત્રસ્થાન વિષેની દીક્ષા પાળી, તેઓ મારી હજૂરમાં આવીને મારી સેવા કરે; અને તેઓ મને મેદ તથા રક્ત ચઢાવવાને મારી સમક્ષ ઊભા રહે, એવું પ્રભુ યહોવા કહે છે.


અને યાજક મુલાકાતમંડપના દ્વાર પાસેની યહોવાની વેદી ઉપર તે રક્ત છાંટે, ને યહોવાને માટે સુવાસને અર્થે ચરબીનું દહન કરે.


અને શાંત્યર્પણના યજ્ઞની ચરબીની પેઠે તેની બધી ચરબીનું વેદી પર દહન કરે. અને તેનાં પાપને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવા પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને તેની ચરબી તથા પુષ્ટ પૂછડી તથા આંતરડાં પરની બધી ચરબી તથા કલેજા પરનું ચરબીનું પડ તથા બન્‍ને ગુરદા તથા તેની ચરબીનું પડ તથા બન્‍ને ગુરદ તથા તેની ચરબીનું પડ તથા બન્‍ને ગુરદા તથા તેની ચરબી તથા જમણું બાવડું, એ તેણે લીધાં.


અને યહોવાની સંમુખથી અગ્નિ ઘસી આવ્યો, ને તેણે વેદી પરનું દહનીયાર્પણ તથા ચરબી ભસ્મ કર્યા. અને સર્વ લોકોએ તે જોઈને હર્ષપોકાર કર્યો, ને ઊંઘમાં પડ્યા.


ત્યારે તેમણે તેને કહ્યું, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રેમ કર.


Lean sinn:

Sanasan


Sanasan