Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 3:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને જો તેનું અર્પણ શાંત્યર્પણનો યજ્ઞ હોય, અને જો તે ઢોર ચઢાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવા પ્રત્યે તે ખોડખાંપણ વગરનું ચઢાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “જ્યારે કોઈ માણસ પ્રભુને સંગતબલિ ચડાવે અને તે બલિ નર કે માદા હોય તો પણ તે પ્રાણી કોઈ પણ જાતની ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જો કોઈનું અર્પણ શાંત્યર્પણનો યજ્ઞ હોય અને જો તે જાનવર ચઢાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવાહ પ્રત્યે તે ખોડખાંપણ વગરનું ચઢાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જો કોઈ વ્યક્તિ યહોવા સમક્ષ શાંત્યર્પણ લાવવા ઈચ્છતો હોય, તે પશુ ગાય પણ હોઈ શકે, તે અર્પણ પશુ હોય તો નર હોય કે માંદા હોય, પણ તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 3:1
29 Iomraidhean Croise  

ત્યાં દાઉદે યહોવાને માટે વેદી બાંધી, ને દહનીયાર્પણો તથા શાત્યર્પણો ચઢાવ્યાં, ને યહોવાને વિનંતી કરી. યહોવાએ દહનીયાર્પણની વેદી ઉપર આકાશમાંથી અગ્નિ મોકલીને તેને ઉત્તર આપ્યો.


મારે માટે તારે માટીની વેદી બનાવીને તે પર તારાં દહનીયાર્પણ તથા તરાં શાંત્યર્પણ અને તારાં ઘેટાં તથા તારા બળદો ચઢાવવાં; અને જે સર્વ જગ્યાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તારી પાસે આવીશ ને તને આશીર્વાદ આપીશ.


વળી તેણે ઇઝરાયલમાંથી કેટલાએક જુવાનોને મોકલ્યા કે, જેઓએ દહનીયાર્પણો ચઢાવ્યાં, ને યહોવાની આગળ બળદનાં શાંત્યર્પણો કર્યા.


અને તે હારુનનો તથા તેના દીકરાઓનો ઇઝરાયલીઓ પાસેથી સદાનો હક થશે; કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે. અને તે ઇઝરાયલી લોકો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાને માટે તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય.


‘શાંત્યપર્ણો મારી પાસે [તૈયાર કરેલાં] છે; આજ મેં મારી માનતાઓ પૂરી કરી છે.


તેઓ એ દિવસો પૂરા કરી રહે, ત્યારે આઠમે દિવસે ને ત્યારથી માંડીને આગળ જતાં યાજકો વેદી પર તમારાં દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવે. એટલે હું તમારો અંગીકાર કરીશ, એવું યહોવાનું વચન છે.”


ઇઝરાયલના રસાળ ગોચરણમાંનાં દર બસો ઘેટાંમાંથી એક હલવાન, લોકોને માટે પ્રાયશ્ચિત કરવા સારું ખાદ્યાર્પણને માટે, દહનિયાર્પણને માટે તથા શાંત્યર્પણોને માટે [આપવું] , એમ પ્રભુ યહોવા કહે છે.


અને જો દહનીયાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી એટલે ઘેટાંમાંથી કે બકરામાંથી હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે.


જો કોઈનું અર્પણ ઢોરના દહનીયાર્પણનું હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે કે, તે પોતે યહોવાની આગળ માન્ય થાય.


એ માટે કે જે યજ્ઞ ઇઝરાયલી લોકો ખુલ્લા મેદાનમાં કરે છે તે તેઓ લાવે, એટલે તે તેઓ મુલાકાતમંડપના દ્વાર આગળ યાજક પાસે યહોવાને માટે લાવે, ને તે વડે તેઓ યહોવાને માટે શાંત્યર્પણોના યજ્ઞ કરે.


અને જો યહોવાની આગળ શાંત્યર્પણના યજ્ઞને માટે તેનું અર્પણ ઘેટાબકરાનું હોય, પછી તે નર હોય કે નારી હોય, તો પણ તે ખોડખાંપણ વગરનું ચઢાવે.


અને તેણે લોકોને માટે શાંત્યર્પણોના યજ્ઞનો બળદ તથા ઘેટો કાપ્યા. અને હારુનના પુત્રોએ તેને તે રક્ત આપ્યું, ને તેણે વેદી પર ચારે બાજુએ છાંટયું.


અને શાંત્યર્પણોને માટે યહોવાની સમક્ષ યજ્ઞ કરવા માટે એક બળદ તથા એક ઘેટો, તથા તેલથી મોહેલું ખાદ્યાર્પણ લો; કેમ કે યહોવા આજે તમને દર્શન આપવાના છે.”


જો કે તમે તમારાં દહનીયાર્પણો તથા ખદ્યાર્પણો ચઢાવવા માંડશો, તોપણ હું તેમને સ્વીકારીશ નહિ; અને તમારાં પુષ્ટ પશુઓનાં શાંત્યાર્પણોને પણ હું ગણકારીશ નહિ.


પણ જે ઠગ માનતા માનીને પોતાના ટોળામાં નર હોવા છતાં યહોવાને ખોડવાળા જાનવરનું અર્પણ ચઢાવે છે તે શાપિત થાઓ, કેમ કે સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હું મહાન રાજા છું, ને મારું નામ વિદેશીઓમાં ભયપાત્ર છે.”


વળી તમે આંધળા [જાનવર] નું બલિદાન આપો છો, [ને વળી કહો છો કે] ‘એમાં કંઈ ખોટું નથી.’ તમે લંગડા તથા રોગિષ્ઠ [જાનવર] નું બલિદાન આપો છો, [ને વળી કહો છો કે] ‘એમાં કંઈ ખોટું નથી’. ત્યારે વારુ, તારા સૂબાને એવા [જાનવર] ની ભેટ કર; એથી તે તારા પર પ્રસન્ન થશે? અથવા શું તે તારો સત્કાર કરશે?” એમ સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.


અને જ્યારે તું દહનીયાર્પણને માટે, અથવા માનતા ઉતારવાના યજ્ઞને માટે, અથવા યહોવાને માટે શાંત્યર્પણોને અર્થે


અને તે યહોવાને પોતાનું અર્પણ ચઢાવે, એટલે પહેલા વર્ષનો ખોડ વિનાનો એક નર હલવાન દહનીયાર્પણને માટે, ને પહેલા વર્ષની ખોડ વિનાની એક ઘેટડી પાપાર્થાર્પણને માટે, ને એક ખોડ વિનાનો ઘેટો શાંત્યર્પણને માટે,


અને શાંત્યર્પણોના ય ને માટે બે ગોધા, પાંચ ઘેટાં, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:આમિનાદાબના દિકરા નાહશોનનું અર્પણ એ હતું.


અને શાંત્યર્પણોના ય ને માટે બે ગોધા, પાંચ ઘેટાં, પાંચ બકરા, પહેલા વર્ષના પાંચ હલવાન:પદાહસૂરના દિકરા ગમાલ્યેલનું અર્પણ એ હતું.


અને યહોવા તારા ઈશ્વરની વેદી પર તારે તારાં દહનીયાર્પણો, એટલે માંસ તથા રક્ત, ચઢાવવાં. અને તારા યજ્ઞનું રક્ત યહોવા તારા ઈશ્વરની વેદી પર રેડી દેવું, ને તે માંસ તારે ખાવું.


અને તેમના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે તે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે, પછી તે પૃથ્વી પરનાં હોય કે આકાશમાંનાં હોય.


માટે દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને, આપણે શુદ્ધ હ્રદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને [ઈશ્વરની] સન્‍નિધ જઈએ.


હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ કહી બતાવીએ છીએ. અને ખરેખર, અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે.


ત્યારે સર્વ ઇઝરાયલીપુત્રો તથા બધા લોકો બેથેલમાં જઈને રડ્યા, ને ત્યાં યહોવાની હજૂરમાં બેઠા, ને તે દિવસે સાંજ સુધી તેઓએ ઉપવાસ કર્યો; અને તેઓએ યહોવાને દહનીયાર્પણો તથા શાંત્યાર્પણો ચઢાવ્યાં.


બીજે દિવસે એમ બન્યું કે, લોકોએ પરોઢિયે ઊઠીને ત્યાં એક વેદી બાંધી, ને


Lean sinn:

Sanasan


Sanasan