Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 27:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને જે પશુનું અર્પણ યહોવાને કરવામાં આવે છે [તે વિષેની માનતા હોય] , તો તેમાંનું કોઈ માણસ યહોવાને જે કંઈ અર્પે તે બધું પવિત્ર ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 “જો માનતા પ્રભુને અર્પણ કરી શકાય એવા પ્રાણીની હોય તો તે પ્રાણી પ્રભુને સમર્પિત ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જો કોઈની ઇચ્છા યહોવાહને પશુનું અર્પણ કરવાની હોય અને જો યહોવાહ તેને માન્ય કરે તો પછી એ પશુ સંપૂર્ણપણે તેનું જ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “જો યહોવાને ધરાવી શકાય એવું કોઈ પ્રાણી અર્પણ કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તો તે અર્પણ થનાર પ્રાણી પવિત્ર બની જશે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 27:9
7 Iomraidhean Croise  

વગર વિચારે એમ કહી દેવું કે, ‘ [અમુક વસ્તુ] અર્પણ કરેલી છે, ’ અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.


તારા મુખને લીધે તું પાપમાં ન પડ; તેમ જ દૂતની રૂબરૂ એમ ન કહે, “એ તો ભૂલ થઈ!” શા માટે ઈશ્વર તારા બોલવાથી કોપાયમાન થઈને તારા હાથના કામનો નાશ કરે!


તેઓએ તે વેચવીસાટવી નહિ, તેમ જ તે ભૂમિનાં પ્રથમફળ બીજાને આપી દેવાં નહિ, કેમ કે તે યહોવાને અર્થે પવિત્ર છે.


તેમાં તેણે ફેરફાર કરવો નહિ તથા સારાને બદલે નરસું કે નરસાને બદલે સારું બદલવું નહિ; અને જો તે એક પશુને ઠેકાણે બીજું બદલે તો તે તથા તેના બદલામાં આપેલું તે બન્‍ને પવિત્ર ગણાય.


પણ જો ઠરાવેલા મૂલ્ય કરતાં તે ગરીબ હાલતમાં હોય તો તેને યાજકની આગળ રજૂ કરવો, અને યાજક તેનું મૂલ્ય ઠરાવે; માનતા લેનારની શક્તિ પ્રમાણે યાજક તેનું મૂલ્ય ઠરાવે.


“જો કોઈ માણસ ઉલ્લંઘન કરીને યહોવાની પવિત્ર વસ્તુઓ વિષે અજાણે પાપ કરે, તો તે યહોવા પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે, ટોળામાંથી ખોડખાંપણ વગરનો એક ઘેટો, એટલે તું ઠરાવે એટલા શેકેલ રૂપું, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે, દોષાર્થાર્પણને માટે લાવે.


પણ તમે કહો છો, ‘જે કોઈ પોતાના પિતાને કે માને કહેશે કે જે વડે મારાથી તને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે;


Lean sinn:

Sanasan


Sanasan