Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 27:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને ભૂમિની સર્વ ઊપજ, પછી તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને માટે પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 “જમીનની પેદાશ, પછી તે અનાજ કે ફળ હોય પણ તેનો દસમો ભાગ પ્રભુનો ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 જમીનની ઊપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાહનો ગણાય, તે યહોવાહને સારુ પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 “જમીનની ઉપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાનો ગણાય, તે પવિત્ર છે, કારણ કે યહોવાને સમર્પિત થેયેલો છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 27:30
22 Iomraidhean Croise  

અને પરાત્પર ઈશ્વર જેમણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેમને ધન્ય હો.” અને ઇબ્રામે સર્વમાંથી દશમો ભાગ આપ્યો.


અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે, તે ઈશ્વરનું ઘર થશે; અને જે તમે મને આપશો તે સર્વનો દશાંશ હું તમને ખચીત આપીશ.”


અને એમ થશે કે જે ઊપજે તેમાંથી તમે પાંચમો ભાગ ફારુનને આપજો, ને ચાર ભાગ ખેતરના બીને માટે તથા તમારે ખાવાને માટે તથા તમારાં ઘરનાંને માટે તથા તમારાં છોકરાંના અન્‍નને માટે તમારા થશે.”


અને મિસર દેશમાં યૂસફે એવો નિયમ બાંધ્યો કે બધી જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે, અને એ નિયમ હજી ચાલે છે; માત્ર યાજકોની જમીન ફારુનના તાબામાં આવી નહિ.


લોકો અર્પણો, દશાંશો તથા સમર્પણ કરેલી વસ્તુઓ પ્રામાણિકણે અંદર લાવતા. અને તે પર દેખરેખ રાખનાર કોનાન્યા નામનો લેવી હતો, તથા તેના હાથ નીચે તેનો ભાઈ શિમઈ હતો


તે દિવસે ભંડારો, ઉચ્છીલીયાર્પણો, પ્રથમ ફળો, તથા દશાંશોની ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા કે, તેઓ નગરનાં ખેતરો પ્રમાણે, યાજકોને તથા લેવીઓને માટે નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે, કેમ કે સેવામાં હાજર રહેનાર યાજકો તથા લેવીઓને લીધે યહૂદિયાના લોકોએ આનંદ કર્યો.


ત્યારે યહૂદિયાના સર્વ લોક અન્‍નનો, દ્રાક્ષારસનો તથા તેલનો દશાંશ ભંડારોમાં લાવ્યા.


તે ટોબિયાનો સગો હતો માટે તેણે ટોબિયાને માટે એક મોટી ઓરડી બનાવી હતી. જેમ અગાઉ ખાદ્યાર્પણો, લોબાન તથા પાત્રો અને, અને લેવીઓને, ગવૈયાઓને તથા દ્વારપાળોને આજ્ઞા પ્રમાણે આપેલા અન્નના, દ્રાક્ષારસના તથા તેલના દશાંશો, તથા યાજકોનાં ઉચ્છાલીયાર્પણો ભરી રાખવામાં આવતાં હતાં.


જે કોઈ સમર્પિત થયેલો, જેનું સમર્પણ માણસોમાંથી થયેલું તે છોડાવી લેવાય નહિ, તેને જરૂર મારી નાખવો.


અને જો કોઈ માણસને પોતાના દશાંશમાંથી કંઈ છોડાવી લેવું હોય, તો તેમાં તે તેનો પંચમાંશ ઉમેરે.


ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો દશમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્‍ત્રની મોટી વાતો, એટલે ન્યાયીકરણ તથા દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે! તમારે આ કરવાં, ને એ પડતાં મૂકવાં જોઈતાં ન હતાં.


પણ તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે ફુદીનાનો, સિતાબનો તથા બધી શાકભાજીનો દશાંશ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ તમે પડતાં મૂકો છો. તમારે આ કરવાં જોઈતાં હતાં, અને એ પડતાં ન મૂકવાં જોઈતાં હતાં.


અઠવાડિયામાં હું બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી આવકનો દશમો ભાગ આપું છું’


તેની વડીલોપાર્જિત મિલકતન વેચાણથી જે તેને મળે તે ઉપરાંત તેને બીજાઓના જેટલો જ હિસ્‍સો ખાવાને મળે.


ત્રીજું વર્ષ દશાંશ લેવાનું વર્ષ છે, તેમાં જ્યારે તું તારી ઉપજનો દશાંશ લઈ ચૂકે ત્યારે તારે લેવીને. પરદેશીને, અનાથને તથા વિધવાને તે આપવું કે, તેઓ તારા ગામોમાં ખાઈને તૃપ્ત થાય.


Lean sinn:

Sanasan


Sanasan