Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 27:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને જો તે અશુદ્ધ પશુનું હોય તો પંચમાંશ ઉમેરીને તે તારું ઠરાવેલું મૂલ્ય આપીને તેને છોડાવી લે, અથવા જો તે છોડાવી લેવાય નહિ તો તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે તેને વેચી દેવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 પરંતુ જો પ્રથમજનિત અશુદ્ધ પ્રાણી હોય તો તેની કિંમત નક્કી કરવામાં આવે અને તેમાં વધારાના વીસ ટકા ઉમેરવામાં આવે. જો, તે પાછું ખરીદવામાં ન આવે તો તે બીજા કોઈને પૂરેપૂરી કિંમતે વેચી દેવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 જો અશુદ્ધ પશુના પ્રથમજનિતને અર્પણ તરીકે લાવવામાં આવે, તો યાજક તેની કિંમત ઠરાવે તે ઉપરાંત વીસ ટકા વધુ તે માલિક આપે. જો તેનો માલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક નિર્ધારિત કરેલી કિંમતે તે પશુને બીજા કોઈને વેચી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 પરંતુ જો યહોવાએ માંન્ય કર્યુ ના હોય તો તેવા પ્રાણીના પ્રથમજનિતને અર્પણ તરીકે લાવવામાં આવે, તો યાજક તેની કિંમત ઠરાવે તે ઉપરાંત વીસ ટકા વધુ તે માંલિક આપે. જો તેનો માંલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક તે પ્રાણી બીજા કોઈને વેચી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 27:27
7 Iomraidhean Croise  

અને જો તે અશુદ્ધ પશુ હોય કે જેનું અર્પણ લોકો યહોવાની સેવામાં ચઢાવતા નથી, તો તે પશુને યાજકની આગળ તે રજૂ કરે;


પણ જો ખરેખર તે છોડાવી લેવાની તેની મરજી હોય, તો તે તેમાં તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરે.


અને જેણે તે ઘર અર્પણ કર્યું હોય તે જો તે છોડાવી લેવા ચાહેમ તો તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરીને તે આપે, એટલે તે તેનું થાય.


પણ પશુઓનું પ્રથમજનિત કે જે યહોવાને માટે પ્રથમજનિત તરીકે ગણાયેલું છે, તેનું અર્પણ કોઈ માણસ ન કરે, તે તો યહોવાનું છે, પછી તે બળદ હોય કે ઘેટું હોય.


પરંતુ કોઈ માણસ, પોતાની પાસે જે હોય તેમાંથી કંઈ યહોવાને સમર્પણ કરે, તો તે સમર્પિત વસ્તુ, પછી તે માણસ હોય કે પશુ હોય કે પોતાના વતનનું ખેતર હોય, પણ તેને વેચવી કે છોડાવી લેવી નહિ. પ્રત્યેક સમર્પિત વસ્તુ યહોવાને માટે પરમપવિત્ર છે


અને જો કોઈ માણસને પોતાના દશાંશમાંથી કંઈ છોડાવી લેવું હોય, તો તેમાં તે તેનો પંચમાંશ ઉમેરે.


અને જે પવિત્ર વસ્તુ વિષે તેણે પાપ કર્યું હોય તેનો બદલો તે ભરી આપે, ને વળી તેનો એક પંચમાશ તેમાં ઉમેરીને યાજકને તે આપે. અને યાજક તેને માટે દોષાર્થાર્પણના ઘેટા વડે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan