Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 27:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પણ જ્યારે તે ખેતર જુબિલીમાં છૂટે, ત્યારે સમર્પિત ખેતર તરીકે તે યહોવાને માટે પવિત્ર ગણાય. તે યાજકના કબજામાં રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 ઋણમુક્તિનું વર્ષ આવતાં તે જમીન પ્રભુને કાયમ માટે સમર્પિત એવી મિલક્ત ગણાય અને તે યજ્ઞકારોની થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પણ તેના બદલે જ્યારે જ્યુબિલી વર્ષમાં તે ખેતર છૂટે ત્યારે યહોવાહને સારુ અર્પિત ખેતર તરીકે તે યાજકોનું થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 જ્યારે જુબિલી વર્ષમાં તે ખેતર મુકત થાય, ત્યારે યહોવાને અર્પિત ખેતર તરીકે તે યાજકોને આપવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 27:21
11 Iomraidhean Croise  

સરદારોની તથા વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની સર્વ માલમિલકત જપ્ત કરવામાં આવશે, વળી તેને બંદીવાસવાળાઓના સમૂહમાંથી અલગ કરવામાં આવશે.”


તેઓ ખાદ્યાર્પણ, પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ ખાય. અને ઇઝરાયલ [લોકો] માં દરેક સમર્પિત વસ્તુ તેમને મળે.


અને પચાસમું વર્ષ તમારે પવિત્ર પાળવું, ને આખા દેશમાં તેના સર્વ રહેવાસીઓને માટે છૂટકાની જાહેરાત કરવી. તે તમારે માટે રણશિંગડાનું [એટલે જુબિલીનું] વર્ષ થાય; અને તમ પત્યેક માણસે પોતપોતાના વતનમાં પાછા આવવું, ને તમ પ્રત્યેક માણસે પોતપોતાના કુટુંબમાં પાછા આવવું.


પણ જો તે પાછું લેવા તે અશક્ત હોય, તો તેણે કે વેચ્યું હોય તે, જેણે તે ખરીદ્યું હોય તેની પાસે, જ્યુબિલીના વર્ષ સુધી રહે. અને જ્યુબિલીમાં તે છૂટે, ને તે પોતાના વતનમાં પાછો આવે.


પણ કોટ વગરનાં ગામડાંના ઘરો સીમનાં ખેતરોની પંક્તિમાં ગણાય. તેમને છોડાવી શકાય, ને તેઓ જુબિલીમાં છૂટે.


અને જો તે ખેતર તે છોડાવી ન લે, અથવા જો તેણે તે ખેતર બીજાને વેચી દીધું હોય, તો તે ફરીથી કદી છોડાવી લેવાય નહિ.


અને પોતના વતનમાંનું નહિ પણ પોતે ખરીદેલું એવું ખેતર જો કોઈ યહોવાને અર્પણ કરે,


ઇઝરાયલની પ્રત્યેક સમર્પિત વસ્તુ તારી થાય.


અને એ શાપિત વસ્તુઓમાંનું કંઈ પણ તારા હાથે વળગી ન રહે, એ માટે કે યહોવા પોતાના કોપનો જુસ્સો પાછો ખેંચી લે, ને તારા પર દયા કરે, ને તારા પર કરુણા રાખે, ને જેમ તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છ તેમ તે તારો વિસ્તાર વધારે.


અને નગર તથા તેમાંનું સર્વ યહોવાને સમર્પિત થશે. કેવળ રાહાબ વેશ્યા અને તેની સાથે ઘરમાં જે હોય તે સર્વ જીવતાં રહે, કારણ કે જે જાસૂસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan