લેવીય 27:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને જ્યારે કોઈ માણસ પોતાનું ઘર યહોવાને માટે પવિત્ર થવાને માટે અર્પણ કરે, ત્યારે યાજક તેનું મૂલ્ય ઠરાવે, પછી તે ઘર સારું હોય કે નરસું હોય. યાજક જેટલું તેનું મૂલ્ય ઠરાવે તેટલું કાયમ રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 “જો કોઈ પોતાનું મકાન પ્રભુને સમર્પિત કરે તો યજ્ઞકાર તેની તપાસ કરી સારીનરસી બાબતો જોઈ તે પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે તેની આખરી કિંમત ગણાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર યહોવાહને સારુ પવિત્ર થવાને માટે અર્પણ કરે, ત્યારે યાજક તેની જે કિંમત નક્કી કરે તે કાયમ રહે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 “જો કોઈ વ્યક્તિ પોતાનું મકાન યહોવાને સમર્પણ કરી દે, તો તે સારું હોય કે ખરાબ તેનાથી કોઈ ફરક ન પડે, યાજક તેની કિંમત નક્કી કરશે અને તે વ્યક્તિએ એ બાંધેલો ભાવ સ્વીકારવો. Faic an caibideil |