Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 26:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને જ્યાં સુધી તમારો દેશ ઉજ્‍જડ રહેશે, ને તમે પોતાના શત્રુઓના દેશમાં રહેશો ત્યાં સુધી તમારો દેશ તેના સાબ્બાથો ભોગવશે; હા, ત્યાં સુધી દેશ વિશ્રામ પામશે, ને તેના સાબ્બાથો ભોગવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34-35 ત્યાર પછી તમે તમારી જે ભૂમિને આરામ આપ્યો ન હતો તે હવે સંપૂર્ણ આરામનાં વર્ષો ભોગવશે. તે વેરાન પડી રહેશે અને સંપૂર્ણ સાબ્બાથ ભોગવશે. કારણ, તમે ત્યારે તમારા દુશ્મનોના દેશમાં દેશનિકાલ થશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 અને જયારે તમે શત્રુઓના દેશમાં રહેતા હશો તે વર્ષોમાં જમીન ઉજ્જડ પડી રહેશે અને તે તેનો વિશ્રામ ભોગવશે અને તે દેશ તેના વિશ્રામ વર્ષોનો આનંદ માણશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 “અને જયારે તમે દુશ્મનોના પ્રદેશમાં રહેતા હશો તે વર્ષોમાં જમીન ઉજજડ પડી રહેશે, અને તે તેનો વિશ્રામવાર ભોગવશે અને તેના વિશ્રામ વર્ષોના આનંદ માંણશે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 26:34
7 Iomraidhean Croise  

જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, (કેમ કે પાપ ન કરે એવું માણસ કોઈ નથી, ) ને તમે તેઓ પર કોપાયમાન થઈને તેમને શત્રુના હાથમાં એવી રીતે સોંપો કે તેઓ તેમને બંદીવાન કરીને દૂરના કે નજીકના શત્રુના દેશમાં લઈ જાય;


એટલે યર્મિયાના મુખથી [બોલાયેલું] યહોવાનું વચન પૂરું થવા માટે દેશે પોતાના સાબ્બાથો ભોગવ્યા ત્યાં સુધી; કારણ કે સિત્તેર વર્ષ સુધી દેશ ઉજ્જડ રહ્યો તેટલો વિશ્રામ [દેશે] પાળ્યો.


તેથી યહોવા કહે છે, “તમે દરેકે પોતાના ભાઈનો તથા પોતાના પડોશીનો છુટકારો જાહેર કરવાનું મારું [વચન] પાળ્યું નથી, તેથી યહોવા કહે છે કે, હું તમારો ત્યાગ કરીને તમને તરવાર, મરકી તથા દુકાળને સ્વાધીન કરીશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં હું તમને વિખેરી નાખીશ.


અને પચાસમું વર્ષ તમારે પવિત્ર પાળવું, ને આખા દેશમાં તેના સર્વ રહેવાસીઓને માટે છૂટકાની જાહેરાત કરવી. તે તમારે માટે રણશિંગડાનું [એટલે જુબિલીનું] વર્ષ થાય; અને તમ પત્યેક માણસે પોતપોતાના વતનમાં પાછા આવવું, ને તમ પ્રત્યેક માણસે પોતપોતાના કુટુંબમાં પાછા આવવું.


જ્યાં સુધી તે ઉજ્‍જડ રહેશે ત્યાં સુધી તે વિશ્રામ પામશે, એટલે તમે તેમાં રહેતા હતા, ત્યારે જે વિશ્રામ તે પામતો ન હતો તે વિશ્રામ તે પામશે.


અને તેઓને દેશ છોડવો પડશે, ને જ્યાં સુધી તેઓ વિના દેશ ઉજ્જડ પડયો રહેશે ત્યાં સુધી તે પોતાના સાબ્બાથો ભોગવશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા ભોગવશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા માન્ય કરશે. તે આ કારણથી કે તેઓએ મારા હુકમો તુચ્છ કર્યા, ને તેઓના જીવ મારા વિધિઓથી કંટાળી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan