Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 22:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 જે બળદને કે હલવાનને અધિકાંગ કે કમાંગ હોય, તેવાને ઐચ્છિકાર્પણ તરીકે ચઢાવવાની તને છૂટ છે. પણ માનતાને માટે તે માન્ય નહિ કરાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 સ્વૈચ્છિકબલિ તરીકે વાછરડા કે ઘેટામાંથી તમે ઠીંગણું કે વિરૂપ પ્રાણી ચડાવી શકો, પરંતુ માનતા પૂરી કરવા માટેના બલિમાં તેવું પ્રાણી સ્વીકારાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 જો કોઈ બળદ અથવા ઘેટું યહોવાહને અર્પણ કરવામાં આવે અને જો તેને વધારાના અંગો કે ઓછા અંગો હોય તેવાને ઐચ્છિકાર્પણ તરીકે અર્પણ કરવાની છૂટ છે પણ માનતાને સારુ તે માન્ય નહિ કરાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “જો કોઈ બળદ અથવા ઘેટું યહોવાને અર્પણ કરવામાં આવે અને જો તેને બહુ લાંબો પગ હોય અથવા પગનો સરખો વિકાસ ન થયો હોય, તો તેનો વિશેષ ભેટ તરીકે વધ કરી શકાય પણ તેને માંનતા કે પ્રતિજ્ઞા પૂરી કરવા માંટે અર્પણ કરી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 22:23
7 Iomraidhean Croise  

ઇઝરાયલી લોકો પોતાની રાજીખુશીથી યહોવાને માટે અર્પણ લાવ્યા; એટલે જે સર્વ કામ મૂસાની હસ્તક કરવાની આજ્ઞા યહોવાએ કરી હતી તેને માટે લાવવાની ઇચ્છા જે પ્રત્યેક પુરુષ તથા સ્‍ત્રીના મનમાં હતી તેણે એ પ્રમાણે કર્યું.


કેમ કે જે કોઈ પુરુષને ખોડ હોય, તે [વેદીની] પાસે આવે નહિ; એટલે આંધળો કે લંગડો માણસ, કે બેસી ગયેલા નાકવાળો, કે અધિકાંગી,


આંધળું કે નંદાયેલું કે લૂંલું કે ઢીમવાળું કે ખરજવાવાળું કે ખૂજલીવાળું એવાં તમારે યહોવાને ચઢાવવાં નહિ, તેમ જ યહોવાને માટે વેદી પર તેમનો હોમયજ્ઞ પણ કરવો નહિ.


જેનો કછોટો ઘાયલ કરેલો કે છુંદેલો કે કૂટેલો કે ખસી કરેલો હોય, તે યહોવાને ન ચઢાવો, અને તમારા દેશમાં એવાઓને ચઢાવશો નહિ.


વળી તમે આંધળા [જાનવર] નું બલિદાન આપો છો, [ને વળી કહો છો કે] ‘એમાં કંઈ ખોટું નથી.’ તમે લંગડા તથા રોગિષ્ઠ [જાનવર] નું બલિદાન આપો છો, [ને વળી કહો છો કે] ‘એમાં કંઈ ખોટું નથી’. ત્યારે વારુ, તારા સૂબાને એવા [જાનવર] ની ભેટ કર; એથી તે તારા પર પ્રસન્ન થશે? અથવા શું તે તારો સત્કાર કરશે?” એમ સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.


અને જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે તે લંગડું કે આંધળું અથવા કોઈપણ જાતની ખોડખાંપણવાળું હોય, તો તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે તેનો યજ્ઞ ન કર.


જે ગોપશુ અથવા ઘેટુંબકરું કંઈ ખોડખાંપણવાળું કે કૂબડું હોય તેનો યજ્ઞ તું યહોવા તારા ઈશ્વરને ન ચઢાવ, કેમ કે યહોવા તારા ઈશ્વરને તે અમંગળ લાગે છે.


Lean sinn:

Sanasan


Sanasan