Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 2:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ધાન્યઅર્પણનો બાકીનો ભાગ યજ્ઞકારને મળે. તે અતિ પવિત્ર છે; કારણ, પ્રભુને ચડાવેલા ધાન્ય અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય. તે યહોવાહને અર્પિત કરેલું યહોવાહના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોનો ગણાય. એ અત્યંત પવિત્ર છે, કારણ, યહોવાને ધરાવેલા હોમયજ્ઞમાંથી એ ગ્રહણ કરવામાં આવેલ છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 2:10
15 Iomraidhean Croise  

લેવી યિમ્નાનો પુત્ર કોરે, પૂર્વ [દિશાના દરવાજા] નો દ્વારપાળ, યહોવાના અર્પણો તથા પરમપવિત્ર વસ્તું વહેંચી આપવા માટે, ઈશ્વરના ઐચ્છિકાર્પણો પર [કારભારી] હતો.


સરસૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ તથા તુમ્મીમ પહેરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.


તેઓ ખાદ્યાર્પણ, પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ ખાય. અને ઇઝરાયલ [લોકો] માં દરેક સમર્પિત વસ્તુ તેમને મળે.


તેણે મને કહ્યું, “આ સ્થળે તો યાજકો દોષાર્થાર્પણ તથા પાપાર્થાર્પણ બાફે, ને ત્યાં તેઓ ખાદ્યાર્પણ પકાવે, રખેને તેઓ તેમને બહારના આંગણામાં લાવીને લોકોને પાવન કરે.”


અને મૂસાએ હારુનને તથા તેના બાકી રહેલા પુત્રો એટલે એલાઝારને તથા ઇથામારને કહ્યું, “યહોવાના હોમયજ્ઞમાંનું બાકી રહેલું ખાદ્યાર્પણ લો, ને વેદી પાસે ખમીર વિના તે ખાઓ; કેમ કે તે પરમપવિત્ર છે.


અને પવિત્રસ્થાનની જે જગાએ પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ કપાય છે, તે જગાએ તે હલવાનને તે કાપે; કેમ કે જેમ પાપાર્થાર્પણ તેમ જ દોષાર્થાર્પણ પણ યાજકનું છે; તે પરમપવિત્ર છે.


અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.


તે પોતાના ઈશ્વરની રોટલી ખાય, એટલે પરમપવિત્રમાંથી તેમ જ પવિત્રમાંથી.


અને આ કૃત્યોમાંના જે કોઈ વિષે તેણે પાપ કર્યું હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે. અને ખાદ્યાર્પણની પેઠે [બાકીનું] યાજકનું થાય.”


અને તેમાંથી જે બાકી રહે તે હારુન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગામાં ખમીર વગર ખાવું, મુલાકાતમંડપના આંગણામાં તેઓ તે ખાય.


અને યાજકના પ્રત્યેક ખાદ્યાર્પણનું પૂરેપૂરું દહન કરવું; તે ખાવું નહિ.”


“હારુનને તથા તેના પુત્રોને એમ ફરમાવ કે, દહનીયાર્પણનો નિયમ આ છે: દહનીર્યાર્પણ આખી રાત સવાર સુધી વેદી પરની કઢાઈ ઉપર રહે, અને વેદીના અગ્નિને તેની ઉપર સળગતો રાખવો.


જેવું પાપાર્થાર્પણ તેવું જ દોષાર્થાર્પણ છે. તેઓને માટે એક જ નિયમ છે; જે યાજક તે વડે પ્રાયશ્ચિત્ત કરે, તેને તે મળે,


પરમપવિત્ર વસ્‍તુઓમાંનું અગ્નિથી [બચેલું] આ તને મળશે. તેઓનાં સર્વ અર્પણ, એટલે તેઓનાં સર્વ ખાદ્યાર્પણ, તેઓનાં સર્વ પાપાર્થાર્પણ, તેઓનાં સર્વ દોષાર્થાર્પણ, જે કંઈ તેઓ મને ચઢાવે તે તારે માટે તથા તારા દિકરાઓને માટે પરમપવિત્ર થાય.


અને મારો યાજક થવા, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા, ને મારી આગળ ઝભ્ભો પહેરવા માટે મેં તને ઇઝરાયલનાં બધાં કુળોમાંથી પસંદ કર્યો હતો કે નહિ? તારા પિતાના કુળને ઇઝરાયલી લોકોનાં સર્વ હોમયજ્ઞો મેં આપ્યા હતા કે નહિ?


Lean sinn:

Sanasan


Sanasan