Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 16:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને જ્યારે તે પવિત્રસ્થાનને તથા મુલાકાતમંડપને તથા વેદીને માટે પ્રાયશ્ચિત્ત કરી રહે, ત્યારે જીવતા બકરાને તે હાજર કરે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 “આરોન જ્યારે પરમપવિત્રસ્થાન, મુલાકાતમંડપ અને યજ્ઞવેદી માટે પ્રાયશ્ર્વિતનો વિધિ પૂરો કરે, તે પછી તેણે અઝાઝેલ માટેના જીવતા રહેલા બકરાને લાવવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પરમ પવિત્રસ્થાન, મુલાકાતમંડપ અને વેદીને માટે પ્રાયશ્ચિત કરી રહે ત્યારે જીવિત બકરાંને તે હાજર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 “પરમ પવિત્ર સ્થાનની, મુલાકાતમંડપની અને વેદીની શુદ્ધિ પતી ગયા પછી તેણે જીવતો રહેલો બકરો લાવવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 16:20
12 Iomraidhean Croise  

સર્વ ચૂક કરનારને માટે અબુદ્ધને માટે તારે માસની સાતમીએ એ પ્રમાણે કરવું; એમ તમારે મંદિરને માટે પ્રાયશ્ચિત કરવું.


અને ઇઝરાયલી લોકોની અશુદ્ધતાના કારણથી તથા તેઓનાં ઉલ્લંઘનોના એટલે તેઓનાં સર્વ પાપના કારણથી પવિત્રસ્થાનને માટે તે પ્રાયશ્ચિત્ત કરે; અને મુલાકાતમંડપ જે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહે છે, તેને માટે પણ તે તેમ જ કરે.


અને તે એ રક્તમાંથી પોતાની આંગળી વડે તેના ઉપર સાત વાર છાંટીને તેને શુદ્ધ કરે, ને ઇઝરાયલની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે.


અને હારુન જીવતા બકરાના માથા ઉપર પોતાના બન્‍ને હાથ મૂકે, ને તેના ઉપર ઇઝરાયલી લોકોના સર્વ અન્યાય તથા તેઓનાં સર્વ ઉલ્‍લંઘન એટલે તેઓનાં સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિર મૂકે; અને ઠરાવેલા માણસનિ હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો.


અને જેના રક્તમાંનું પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત્ત કરવા માટે મુલાકાતમંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય, તેવું કોઈ પાપાર્થાર્પણ ખવાય નહિ; તેને અગ્નિમાં બાળી નાખવું.


અને તેણે તે કાપ્યો. અને મૂસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીનાં શિંગની આસપાસ તે લગાડયું, ને વેદીને શુદ્ધ કરીને [બાકીનું] રક્ત વેદીના થડમાં તેને માટે પ્રાયશ્ચિત્ત કરવાને રેડી દીધું, ને તેને પાવન કરી.


તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા, અને આપણા ન્યાયીકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા.


તો [તેઓને] દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુ પામ્યા, હા જે મૂએલામાંથી પાછા પણ ઊઠયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થતા પણ કરે છે.


એટલે, ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતા નથી, અને તેમણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે.


અને તેમના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે તે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે, પછી તે પૃથ્વી પરનાં હોય કે આકાશમાંનાં હોય.


માટે જેઓ એમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને માટે મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતા રહે છે.


અને હું જીવંત છું, હું મૃત્યુ પણ પામ્યો હતો, અને જુઓ, સદાકાળ જીવતો છું. અને મરણ તથા હાદેસની ચાવીઓ મારી પાસે છે.


Lean sinn:

Sanasan


Sanasan