Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 15:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને જ્યારે સ્‍ત્રાવવાળો પોતાના સ્‍ત્રાવથી શુદ્ધ થાય, ત્યારે તે પોતાના શુદ્ધિકરણને માટે પોતાને માટે સાત દિવસ ગણે, ને પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, અને તે વહેતા પાણીમાં પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, અને તે વહેતા પાણીમાં પોતાનું અંગ ધોઈને શુદ્ધ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 “સ્રાવવાળાનો સ્રાવ મટી જાય પછી શુદ્ધિકરણને માટે સાત દિવસ રાહ જોવી. પછી તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે અને ઝરણાંના ચોખ્ખા પાણીમાં સ્નાન કરે એટલે તે વિધિગત રીતે શુદ્ધ ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જ્યારે તે વ્યક્તિ તેના સ્રાવથી શુદ્ધ થાય ત્યારે તે પોતાના શુદ્ધિકરણ માટે સાત દિવસ ગણે અને પોતાના વસ્ત્રો ધોઈ નાખે; અને ઝરણાનાં પાણીમાં સ્નાન કરે. ત્યાર પછી તે શુદ્ધ ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “જ્યારે તે વ્યક્તિનો સ્રાવ થોભી જાય ત્યારે તેણે શુદ્ધિકરણની વિધિ માંટે સાત દિવસની હાર જોવી. અને પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, અને ઝરણાનાં પાણીમાં સ્નાન કરવું, ત્યાર પછી તે શુદ્ધ ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 15:13
16 Iomraidhean Croise  

અને હારુનને તથા તેના દીકરાઓને, મેં જે સર્વ આજ્ઞાઓ તને આપી છે, તે પ્રમાણે તું કર. સાત દિવસ સુધી તું તેમને પ્રતિષ્ઠિત કર.


સાત દિવસ સુધી તું વેદીને માટે પ્રાયશ્ચિત કર, ને તેને પવિત્ર કર. અને વેદી પરિશુદ્ધ થાય. જે કંઈ વેદીને અડકે તે પવિત્ર થાય.


તેઓએ જે અપરાધો કરીને મારી વિરુદ્ધ પાપ કર્યું તે સર્વ અપરાધથી, હું તેઓને શુદ્ધ કરીશ; અને જે પાપો તથા અપરાધો તેઓએ મારી વિરુદ્ધ કર્યાં છે, ને જેથી તેઓએ મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે તે સર્વની હું ક્ષમા કરીશ.


અને આઠમે દિવસે બે ખોડખાંપણ વગરના નર હલવાન તથા પહેલાં વર્ષની એક ખોડખાંપણ વગરની ઘેટી, તથા ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો ત્રણ દશાંશ એફાહ મેંદો તથા એક માપ તેલ તે લે.


અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય, તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પોતાના સર્વ વાળ મૂંડાવે, ને પાણીમાં સ્‍નાન કરે, એટલે તે શુદ્ધ થશે, અને ત્યાર પછી તે છાવણીમાં આવે, પણ તે સાત દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે.


પણ જો તે પોતાના સ્‍ત્રાવથી શુદ્ધ થાય, તો તે પોતાને માટે સાત દિવસ ગણે, ને ત્યાર પછી તે શુદ્ધ ગણાય.


અને જે કોઇ તેના બિછાનાનો સ્પર્શ કરે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્‍નાન કરે તે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો સમાપ્ત થતાં સુધી તમે મુલાકાતમંડપના બારણાની બહાર જશો નહિ; કેમ કે સાત દિવસ સુધી તે તમારી પ્રતિષ્ઠાઅ કરશે.


અને આઠમે દિવસે એમ બન્યું કે, મૂસાએ હારુનને તથા તેના પુત્રોને તથા ઇઝરાયલનઅ વડીલોને બોલાવ્યા;


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો તને પિતા તેના મુખ પર ફક્ત થૂંક્યો હોત, તો શું સાત દિવસ સુધી તે ન લાજત? સાત દિવસ તે છાવણીની બહાર રખાય, ને પછી તે પાછી આવે.”


તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.


તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શદ્ધ કરો. અને ઓ બે મનવાળાઓ, તને તમારાં મન પવિત્ર કરો.


તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મૂએલાંમાંથી પ્રથમજનિત, અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે તેમના તરફથી, તમારા પર કૃપા તથા શાંતિ હોજો. જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી મુક્ત કર્યા,


Lean sinn:

Sanasan


Sanasan