Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 14:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 અને જો પથ્થર કાઢી નંખાવ્યા પછી તથા ઘર ખરપાવી નંખાવ્યા પછી તથા સાગોળ દેવડાવ્યા પછી રોગ પાછો ઘરમાં ફૂટી નીકળે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 “પથ્થરો કાઢી નાખ્યા પછી અને દીવાલોને ખોતરાવી નાખી ઘર નવેસરથી પ્લાસ્ટર કર્યા પછી તે ઘરમાં તેની ફરીથી તપાસ કરવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 પથ્થરો કાઢી નાખ્યા પછી અને ઘરનું નવેસરથી ચણતર કર્યા પછી જો ફરીથી ફૂગ દેખાય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 “જો પથ્થરો કાઢી નાંખ્યા પછી અને ઘરને નવેસરથી પ્લાસ્ટર કર્યા પછી જો ફરીથી ફૂગ દેખાય,

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 14:43
9 Iomraidhean Croise  

તારી ભ્રષ્ટતામાં લંપટતા સમાયેલી છે. મેં તને શુદ્ધ કરવાને [પ્રયત્ન] કર્યો, પણ તું શુદ્ધ થઈ નહિ, એથી હું મારો કોપ તારા પર તૃપ્ત કરીશ ત્યાં સુધી તું કદી તારી મલિનતાથી શુદ્ધ થશે નહિ.


અને તેઓ બીજા પથ્થરો લઈને પેલા પથ્થરોની જગાએ બેસાડે, અને તે બીજી છો લઈને ઘરને સાગોળ દેવડાવે.


તો યાજક આવીને તપાસ કરે, ને જુઓ, તે રોગ ઘરમાં પસર્યો હોય, તો [જાણવું] કે ઘરમાં કોહવાડતો કોઢ છે; તે અશુદ્ધ છે.


અને જો યાજક અંદર જઈને તેને તપાસે, ને જો ઘરને છો દીધા પછી તે ઘરમાં રોગ પસર્યો ન હોય; તો યાજક ઘરને શુદ્ધ ઠરાવે, કેમ કે રોગ નાબૂદ થયો છે.


કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને જો તેઓ, જગતની મલિનતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતાં બૂરી છે.


પણ “કૂતરું પોતાની ઓક તરફ, અને ધોયેલી ભૂંડણ કાદવમાં આળોટવા માટે પાછાં જાય છે, ” આ કહેવત તો ખરી છે, અને તે પ્રમાણે તેઓનું [વર્તન] થયું છે.


તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાંખવામાં આવેલાં વૃક્ષો છે.


Lean sinn:

Sanasan


Sanasan