Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 14:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને યાજકની હથેલીમાં બાકી રહેલું તેલ તે લગાડે; અને યાજક તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પછી યજ્ઞકાર હથેલીમાં બાકી રહેલું તેલ શુદ્ધિકરણ કરાવનારના માથા પર લગાવે, અને એ પ્રમાણે તેને માટે પ્રભુ સમક્ષ શુદ્ધિકરણનો પ્રાયશ્ર્વિત વિધિ કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યાજકના હાથમાંનું બાકીનું તેલ તેણે જે વ્યક્તિની શુદ્ધિ કરવી હોય તેના માથા પર લગાડીને યહોવાહ સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત કરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પછી યાજકના હાથમાંનું બાકીનું તેલ તેણે જે વ્યક્તિની શુદ્ધિ કરવી હોય તેના માંથા પર લગાડીને યહોવા સમક્ષ તેનીપ્રાયશ્ચિતવિધિ કરવી.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 14:18
13 Iomraidhean Croise  

અને અભિષિકતનું તેલ લઈને તે તું તેના માથા પર રેડ, ને તેને અભિષિકત કર.


અને પોતાની હથેલીમાં જે તેલ બાકી રહે તેમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણાઅ કાનની ટીશી પર, તથા તેના જમણા હાથના અંગૂઠા પર, તથા તેના જમણા પગના અંગૂઠા પર, તથા દોષાર્થાર્પણના રક્ત પર યાજક લગાડે.


અને યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણને માટે, ને બીજાને દહનીયાર્પણને માટે ચઢાવે, અને યાજક તેના સ્‍ત્રાવને લીધે તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે.


એ વાછરડાને તે એ પ્રમાણે કરે; જેમ તેણે પાપાર્થાર્પણના વાછરડાનું કર્યું તેમ તે એનું પણ કરે. અને યાજક તેઓને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને તેઓને ક્ષમા કરવામાં આવશે.


અને શાંત્યર્પણના યજ્ઞની ચરબીની પેઠે તેની બધી ચરબીનું વેદી પર દહન કરે. અને તેનાં પાપને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવા પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને જેમ શાંત્યર્પણના યજ્ઞમાંથી હલવાનની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવાના હોમયજ્ઞની રીત પ્રમાણે વેદી પર તેઓનું દહણ કરે, એ જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને જે પવિત્ર વસ્તુ વિષે તેણે પાપ કર્યું હોય તેનો બદલો તે ભરી આપે, ને વળી તેનો એક પંચમાશ તેમાં ઉમેરીને યાજકને તે આપે. અને યાજક તેને માટે દોષાર્થાર્પણના ઘેટા વડે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને તેણે અભિષેકના તેલમાંથી હારુનના માથા પર રેડીને તેને પાવન કરવા માટે તેનો અભિષેક કર્યો.


અને ભૂલ કરનાર માણસ જ્યારે અજાણતાં યહોવાની આગળ પાપ કરે, ત્યારે તેને માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે યાજક પ્રાયશ્ચિત્ત કરે, અને તેને માફ કરવામાં આવશે.


તેથી તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.


Lean sinn:

Sanasan


Sanasan