Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 13:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જો તેના શરીરની ત્વચામાં ચળકતું ચિહ્ન ઘોળું હોય, ને તે ત્વચા કરતાં ઊંડું દેખાતું ન હોય, ને તેની ઉપરના વાળ ધોળા થઈ ગયા ન હોય, તો યાજક તેવા રોગીને સાત દિવસ પૂરી રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 યજ્ઞકાર તેની તપાસ કરીને તેને અશુદ્ધ જાહેર કરે. પરંતુ જો એ ડાઘ ચામડી કરતાં ઊંડો ઊતરેલો ન હોય અને ત્યાંના વાળ સફેદ થયા ન હોય તો યજ્ઞકાર તે દર્દીને સાત દિવસ અલગ રાખે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊંડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો પછી યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “પરંતુ જો ચામડી પરનો સફેદ ડાઘ ચામડીની નીચે ઊડે ઊતરેલો ના લાગતો હોય, વળી તેમાંના વાળ સફેદ થઈ ગયા ના હોય, તો યાજકે તે રોગીને સાત દિવસ સુધી જુદો રાખવો.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 13:4
14 Iomraidhean Croise  

પણ ઇઝરાયલીઓ જેઓ મારાથી ભટકી જઈને પોતાની મૂર્તિઓના ઉપાસક થયા, તેઓ મારાથી ભટકી ગયા તે સમયે જે લેવીઓ મારાથી દૂર જતા રહ્યા તેઓનું દુષ્કર્મ તેઓને માથે રહેશે.


તો એ તેના શરીરની ત્વચામાં જૂનો કોઢ છે, ને યાજક તેને અશુદ્ધ ઠરાવે; તે તેને પૂરી ન રાખે; કેમ કે તે અશુદ્ધ છે.


તો યાજક તેને તપાસે; અને તે ચળકતા ચાંદામાંના વાળ ધોળા થઈ ગયા હોય, ને તે ત્વચા કરતાં ઊંડું જણાતું હોય, તો તેને ડામમાં ફૂટી નીકળેલો કોઢ સમજવો. અને યાજક તેને અશુદ્ધ ઠરાવે; એ તો કોઢનો રોગ છે.


પણ જો યાજક તેને તપાસે ને જુઓ, તે ચળકતા ચાંદામાં ધોળા વાળ દેખાતા ન હોય, ને તે ત્વચા કરતાં ઊંડું ન હોય, પણ ઝાંખું દેખાતું હોય, તો યાજક તેને સાત દિવસ સુધી પૂરી રાખે.


અને યાજક તે શરીરની ત્વચામાં રોગને જુએ; અને જો તે રોગની જગા ઉપરના વાળ ધોળા થઈ ગયા હોય, અને તે રોગ ત્વચા કરતાં ઊંડો ઊતરેલો દેખાતો હોય, તો તે કોઢનો રોગ સમજવો. અને યાજક તેને તપાસીને તેને અશુદ્ધ ઠરાવે.


અને જો યાજક એ ઉંદરીનું દરદ તપાસે, ને જો, તે ત્વચાથી ઊંડું દેખાતું ન હોય, ને તેમાં કાળા વાળ ન હોય, તો યાજક ઉંદરીવાળા દરદીને સાત દિવસ સુધી પૂરી રાખે.


અને સાતમે દિવસે યાજક તેને તપાસે; અને જો રોગ તેને તેવો ને તેવો જ રહેલો જણાય, ને રોગ ત્વચામાં પસર્યો ન હોય, તો યાજક બીજા સાત દિવસ સુધી તેને પૂરી રાખે.


અને યાજક તે રોગ તપાસે, ને રોગવાળી વસ્તુને સાત દિવસ બંધ કરી રાખે.


યાજક ઘરમાંથી બહાર નીકળીને ઘરના બારણા આગળ આવે, ને સાત દિવસ સુધી તે ઘર બંધ કરી રાખે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો તને પિતા તેના મુખ પર ફક્ત થૂંક્યો હોત, તો શું સાત દિવસ સુધી તે ન લાજત? સાત દિવસ તે છાવણીની બહાર રખાય, ને પછી તે પાછી આવે.”


અને મરિયમે સાત દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી. અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહિ.


માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ નિર્ણય ન કરો. કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે, અને હ્રદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે. અને તે સમયે દરેકનાં વખાણ ઈશ્વર તરફથી થશે.


તો તારે તપાસ કરવી ને શોધ કરીને ખંતથી પૂછપરછ કરવી. અને જો, એ વાત ખરી ને નક્કી હોય કે એ અમંગળ કર્મ તારી મધ્યે કરવામાં આવેલું છે;


કેટલાક માણસોનાં પાપ પ્રત્યક્ષ હોવાથી તેઓનો ન્યાય આગળથી થાય છે. અને કેટલાકનાં [પાપ] પાછળથી પ્રગટ થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan