Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 11:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને જે પશુઓ ખાવાની તમને છૂટ છે, તેઓમાંનું કોઈ મરી જાય, તો જે કોઈ તેના મુડદાનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 “જો કોઈ ખાવાલાયક પ્રાણી મૃત્યુ પામે તો તેના શબનો સ્પર્શ કરનાર સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 જે પશુઓ ખાવાની તમને છૂટ આપવામાં આવી છે એવું પશુ જો મરી જાય, તો તેના મૃતદેહનો જે કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 “તમને ખાવાની છૂટ આપવામાં આવી છે એવું પ્રાણી મરી જાય; તો તેના શબને જે કોઈ અડે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 11:39
18 Iomraidhean Croise  

ત્યારે મેં કહ્યું, “અરેરે, પ્રભુ યહોવા! જો, હું કદી અશુદ્ધ થયો નથી; કેમ કે મારા નાનપણથી તે અત્યાર સુધી મેં મુડદાલ કે પશુઓએ ફાડી નાખેલા પ્રાણીનું માંસ કદી ખાધું નથી. તેમ જ નાપાક માસ મારા મોંમાં ગયું નથી.”


આવાંથી તમે અશુદ્ધ થશો:જે કોઈ તેઓના મુડદાનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને જે કોઈ તેમનું મુડદું ઊંચકે, તે પોતાનાં વસ્‍ત્રો ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય; તે તમને અશુદ્ધ છે.


સર્વ સર્પટિયાંમાંથી એ તમને અશુદ્ધ છે; તેઓના મર્યા પછી જે કોઈ તેમનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


પણ જો તે બિયારણ પર પાણી છાંટેલું હોય, ને તેમના મુડદાનો [કોઈ ભાગ] તેના પર પડે, તો તે તમને અશુદ્ધ છે.


અને જે કોઈ તેનું મુડદાલ ખાય તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. તેનું મુડદું ઊંચકનાર પણ પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને જ્યાં સુધી ઘર બંધ રહે, ત્યાં સુધી તેમાં જે કોઈ જાય તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણને માટે, ને બીજાને દહનીયાર્પણને માટે ચઢાવે, અને યાજક તેના સ્‍ત્રાવને લીધે તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે.


અને જે કોઇ તેના બિછાનાનો સ્પર્શ કરે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્‍નાન કરે તે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને સ્‍ત્રાવવાળાના શરીરનો જે કોઈ સ્પર્શ કરે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને અઝાઝેલને માટે બકરાને છોડી મૂકનાર માણસ પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને ત્યાર પછી છાવણીમાં આવે.


અને જે કોઈ જન મુડદાલ અથવા જાનવરોએ ફાડી નાખેલાંનું [માંસ] ખાય, તે આ દેશનો હોય કે પરદેશી હોય, પણ તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્‍નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. ત્યાર પછી તે શુદ્ધ ગણાય.


હારુનના સંતાનમાં જે પુરુષ કોઢી કે સ્‍ત્રાવી હોય, તે પાછો શુદ્ધ થતાં લગી પવિત્ર વસ્તુઓમાંથી ખાય નહિ, અને જે કોઈ મુડદાથી અભડાયેલી કોઈ વસ્તુને, કે જે પુરુષને ઘાત જતી હોય તેને અડકે;


એટલે જે જન એવા કશાને અડકે તે સાંજ સુધી અભડાયેલો ગણાય, અને પાણીથી સ્નાન કર્યા સિવાય પવિત્ર વસ્તુઓ તે ખાય નહિ.


મુડદાલને કે પશુએ ફાડી નાખેલાને તે ખાય નહિ. રખેને તે વટલાય; હું યહોવા છું.


જે જન કોઈ માણસના મુડદાનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


અને ખુલ્લા મેદાનમાં જે કોઈ તરવારે મારી નંખાયેલાનો, કે મુડદાનો, કે માણસના હાડકાનો, કે કબરનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


ત્યાર પછી યાજક પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને પછી છાવણીમાં આવે, ને યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય.


Lean sinn:

Sanasan


Sanasan