Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 11:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને ચોપગાં જાનવરોમાંનું જે જે પંજા વડે ચાલતું હોય તે તમને અશુદ્ધ છે; જે કોઈ તેઓના મુડદાનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 ચાર પગવાળાં જાનવરોમાંનું જે જે પંજા વડે ચાલતું હોય તે તમારે માટે અશુદ્ધ છે. જે કોઈ તેઓના મૃતદેહનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 11:27
10 Iomraidhean Croise  

સર્વ પાંખવાળાં સર્પટિયાં જે ચાર પગે ચાલે છે, તે તમને અમંગળ છે.


પણ [બીજાં] સર્વ ચોપગાં પાંખવાળાં સર્પટિયાં તમને અમંગળ છે.


જે કોઈ પશુની ખરી ફાટેલી હોય પણ પગ ચિરાયેલા ન હોય તથા વાગોળતું ન હોય તે તમને અશુદ્ધ છે. જે કોઈ તેનો સ્પર્શ કરે તે અશુદ્ધ છે.


અને જે કોઈ તેમનું મુડદું ઊંચકે, તે પોતાનાં વસ્‍ત્રો ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય; તે તમને અશુદ્ધ છે.


અને જ્યાં સુધી ઘર બંધ રહે, ત્યાં સુધી તેમાં જે કોઈ જાય તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને યાજક તેઓમાંના એકને પાપાર્થાર્પણને માટે, ને બીજાને દહનીયાર્પણને માટે ચઢાવે, અને યાજક તેના સ્‍ત્રાવને લીધે તેને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે.


અને અઝાઝેલને માટે બકરાને છોડી મૂકનાર માણસ પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને ત્યાર પછી છાવણીમાં આવે.


અને જે કોઈ જન મુડદાલ અથવા જાનવરોએ ફાડી નાખેલાંનું [માંસ] ખાય, તે આ દેશનો હોય કે પરદેશી હોય, પણ તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્‍નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. ત્યાર પછી તે શુદ્ધ ગણાય.


એટલે જે જન એવા કશાને અડકે તે સાંજ સુધી અભડાયેલો ગણાય, અને પાણીથી સ્નાન કર્યા સિવાય પવિત્ર વસ્તુઓ તે ખાય નહિ.


ત્યાર પછી યાજક પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને પછી છાવણીમાં આવે, ને યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય.


Lean sinn:

Sanasan


Sanasan